ધોની અંગે કરી આ વાત
મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વકપ ટીમમાં લેવો જોઈએ કે નહીં તે સવાલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મંગળવારે એડિલેડમાં વન ડે મેચમાં ધોનીનો ફરી એક નવો અંદાજ જોવા મળ્યો હતો. આ મેચમાં પણ તેણે બેસ્ટ ફિનિશરનું ટેગ જાળવી રાખ્યું હતું. ફરી એક વખત ધોનીએ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી અને પોતાના બેસ્ટ પર્ફોમન્સની સાબિતી આપી હતી. બીજી તરફ સિનિયર ખેલાડી અને પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
બેસ્ટ પર્ફોમ કરશે

ગવાસ્કરે ઉમેર્યું કે, આ ખેલાડીને એકલો છોડી દો તો તે બેસ્ટ પર્ફોમન્સ આપશે. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડમાં મેચ દરમિયાન તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. ખાસ કરીને તેણે અંતિમ ઓવરમાં બેસ્ટ સિક્સ ફટકારી હતી. ગવાસ્કરે કહ્યું કે, હું પ્રાર્થના કરું છું કે, આ ખેલાડી પોતાનું બેસ્ટ પર્ફોમન્સ જાળવી રાખશે. હાલમાં ધોની એક ચર્ચાનો વિષય છે. ધોનીની થોડી અનિયમિતતાને સહન કરવી પડશે. પણ ધોની ટીમનું એક મહત્ત્વનું અંગ છે. તેનું મુલ્યાંકન ન થઈ શકે.
બોલરોને પણ ગાઈડ કરે છે

ગવાસ્કરે કહ્યું હતું કે, ધોની બોલરોને પણ સતત ગાઈડ કરે છે કે, કોને કેવી રીતે બોલિંગ કરવી? ધોનીને ખ્યાલ હોય છે કે, બેટ્સમેન શું વિચારી રહ્યો છે. તે શું કરવાના મુડમાં છે અને કઈ તરફ શોટ મારવાનું વિચારી રહ્યો છે. આ રીતે ધોની બોલરોને પણ મદદ કરે છે. આ સિવાઈ ફિલ્ડિંગ પોઝિશન ગોઠવવામાં પણ તે કામ આવે છે. આ સિવાય તે ડીપ પર સારા કેચ કરે છે. એવામાં વિરાટને ધોની પર સંપૂર્ણ ભરોસો હોય છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Cs0dW5
No comments:
Post a Comment