બે દિવસની ટૂર પર હતાં રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 11 જાન્યુઆરીના રોજ બે દિવસની UAE ટૂર પર હતાં. આ દરમિયાન સોશ્યિલ મીડિયા પર નકલી સમાચારોનો વરસાદ થયો હતો. શું રાહુલ ગાંધીના સન્માન પર બુર્ઝ ખલીફા પર તેમની તસવીર જોવા મળી હતી? શું તેઓ દુબઈના ફાઈટર જેટથી પરત ફર્યાં હતાં. ફેક ન્યૂઝનું આ લિસ્ટ લાંબુ છે. આવો તમને જણાવીએ રાહુલ ગાંધીની ટૂર સાથે જોડાયેલી ફેક ન્યૂઝ. જેને કદાચ તમે અજાણતાં જ સાચી માની લીધી હોય.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
બુર્ઝ ખલીફા પર રાહુલ ગાંધીનો ફોટો?

‘With Rahul Gandhi’ નામના ફેસબુક પેજ પર એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ બુર્ઝ ખલીફા પર રાહુલ ગાંધીનો ફોટો જોવા મળ્યો હતો. ટાઈમ્સ ફેક્ટ ચેકે આ વીડિયો નકલી હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં આ વીડિયો Biugo નામની એપથી બનાવવામાં આવ્યો હતો. જેમાં બુર્ઝ ખલીફાની ટેમ્પલેટ પહેલાથી જ છે. કોઈપણ સરળતાથી કોઈની પણ તસવીર લગાવી શકે છે.
રાહુલ ગાંધી દુબઈના ફાઈટર જેટમાં ભારત પરત ફર્યાં?

ફેક ન્યૂઝ ફેલાવવામાં એક્સપર્ટ ‘Viral in india’નામના ફેસબુક પેજે એક આર્ટિકલની લિંક શૅર કરીને લખ્યું કે,’આવા પહેલા નેતા બન્યાં રાહુલ ગાંધી’ આર્ટિકલનું ટાઈટલ હતું’દુબઈ શાસનના ફાઈટર પ્લેનથી ભારત પરત ફરશે રાહુલ ગાંધી, દુબઈ કિંગે તોડ્યો પ્રોટોકોલ’ આ આર્ટિકલ અનુસાર, રાહુલ ગાંધીને જે ફાઈટરથી પરત મોકલવામાં આવ્યાં હતાં તે સામાન્ય રીતે અન્ય દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અથવા રાજાને આપવામાં આવે છે. રાહુલ ગાંધી એવા પહેલા વ્યક્તિ બન્યાં જે વડાપ્રધાન વગર જ આ પ્લેનમાં સફર કરશે.
કોઈ જ વિશેષ પ્રબંધન નહીં
ટાઈમ્સ ફેક્ટ ચેકને Gulf Newsનો એક આર્ટિકલ મળ્યો. જે અનુસાર રાહુલ ગાંધી રવિવાર, 13 જાન્યુઆરી બપોરે 3:10ની ફ્લાઈટથી દિલ્હી પરત ફર્યાં હતાં. અમે Emirates Airlinesની ઓફિશ્યિલ વેબસાઈટ પર દુબઈથી નવી દિલ્હી આવતી ફ્લાઈટ્સનો સમય જોયો અને જાણવા મળ્યું કે 3:10ના રોજ એક વિમાન દિલ્હી આવે છે. જેથી એ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી માટે કોઈ જ વિશેષ પ્રબંધન કરવામાં નહોતું આવ્યું.
કરાયો આ તસવીરનો ઉપયોગ

‘Viral In India’ના આ આર્ટિકલમાં એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક બાળક સાથે હસતાં જોવા મળે છે. આ ફોટો 2014નો છે. જ્યારે રાહુલ ગાંધી એક સામાન્ય વિમાનમાં સફર કરવાને લઈ ચર્ચામાં આવ્યાં હતાં.
રાહુલે કહ્યું,’મહાત્મા ગાંધીએ અહિંસાની પ્રેરણા ઈસ્લામ પાસેથી લીધી’

ફેસબુક પેજ,‘PMO India: Report Card’એ રાહુલ ગાંધીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે કહી રહ્યાં છે,’મહાત્મા ગાંધીએ અહિંસાની પ્રેરણા ભારતીય દર્શન, ઈસ્લામથી લીધી હતી.’ અનેક ફેસબુક પેજથી આ વીડિયો શૅર થયો હતો. રાહુલ ગાંધીનો આ વીડિયો દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીયો માટે આયોજીત કાર્યક્રમનો હતો. અમે રાહુલના ભાષણનો પૂરો સંદર્ભ સમજવા માટે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના યુ ટ્યૂબ ચેનલ પર રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું હતું.
જુઓ વીડિયો
ટાઈમ્સ ફેક્ટ ચેકને જાણવા મળ્યું કે 27:38 મિનિટ લાંબા આ વીડિયોમાં 24:10 મિનિટ પર રાહુલ ગાંધી અહિંસા પર વાત કરી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે,’અહિંસા આપણાં ડીએનએમાં છે. આ માત્ર 50 વર્ષથી જ નથી, મહાત્મા ગાંધી અહિંસાના મોટા પ્રચારક હતાં પરંતુ મહાત્મા ગાંધીજીએ અહિંસાની પ્રેરણાં આપણાં મહાન ધર્મ, મહાન શિક્ષકો પાસેથી લીધી. મહાત્મા ગાંધીને અહિંસાની પ્રેરણા આપણાં પ્રાચીન ભારતીય દર્શન, ઈસ્લામ, ઈસાઈ ધર્મ, યહુદી ધર્મ, તે દરેક મહાન ધર્મમાંથી મળી જ્યાં સ્પષ્ટ લખ્યું છે કે હિંસાથી ક્યારેય કોઈને કંઈપણ મેળવવામાં મદદ નથી મળતી.’
આથી સ્પષ્ટ છે કે ફેક ન્યૂઝનો પ્રચાર કરનારે વીડિયોના એક નાના ભાગને કાપીને વાઈરલ કર્યો હતો. અમારા વાંચકોને વિનંતી કે તેઓ આ પ્રકારના ફેક ન્યૂઝની જાળમાં ન ફસાય.
from Page Array – I Am Gujarat http://bit.ly/2srKUbe
No comments:
Post a Comment