Latest

Thursday, March 28, 2019

સરકારી બેંકના કર્મચારીઓએ મોદીને કહ્યું, ‘અમારી પાસે ચોકીદાર બનવાની આશા ન રાખતા

મોદીના અભિયાનમાં નહીં જોડાય બેંક કર્મચારીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા અઠવાડિયા પહેલા એક ટ્વીટ કરીને ડોક્ટર્સ, વકીલો, એન્જિનિયર, શિક્ષકો, આઈટી પ્રોફેશનલ અને બેંકરોને પણ ‘હું પણ ચોકીદાર’ અભિયાન સાથે જોડાવવાનો આગ્રહ કર્યો હતો. તેમના આ આગ્રહ બાદ સરકારી બેંકોના 3.20 લાખ ઓફિસરોએ જવાબ આપ્યો કે અમારી પાસેથી ‘ચોકીદાર’ બનાવી આશા ન રાખતા. જાહેર ક્ષેત્રના બેંક ઓફિસર્સના સૌથી મોટા યુનિયન ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોનફેડરેશન (AIBOC)એ પ્રધાનમંત્રીના એક પત્ર લખીને કહ્યું કે સરકારને ત્યાં સુધી બેંકિંગ સ્ટાફ પાસેથી MainBhiChowkidar અભિયાનમાં શામેલ થવાની આશા ન કરવી જોઈએ, જ્યાં સુધી બેંકોના વિલય, વેતન અને કર્મચારીઓની ભરતી સંબંધિત મુદ્દાઓ પર વાત ન થાય. લેટરની એક કોપી નાણાંકીય સેવા વિભાગ અને ભારતીય બેંક સંઘને મોકલાઈ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

માંગણી સ્વીકારે ત્યાં સુધી અભિયાનમાં નહીં જોડાય

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ યુનિયન ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોનફેડરેશનમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોના લગભગ 3 લાખ 20 હજાર ઓફિસર્સ જોડાયા છે, જે કુલ બેંક ઓફિસરોના 85 ટકા છે. પત્રમાં કહેવાયું છે કે, સમગ્ર બેંકિંગ સ્ટાફ સાથે લગભગ 10 લાખ બેંક ઓફિસર્સ અને કર્મચારીઓના મુખ્ય મુદ્દા પર ચર્ચા કર્યા વિના, તમારે એવી આશા ન રાકવી જોઈએ કે બેંકિંગ કર્મચારીઓ રાજકીય અભિયાન ‘હું પણ ચોકીદાર’માં શામેલ થઈ જશે.

વેતન અને બેંકોના વિલય મુદ્દે રોષ

બેંકર વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો કડક વિરોધ કરી રહ્યા છે. આઈબીઓસીએ આ વિલય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. બેંકરોનો બીજો મુદ્દો વેતનને લઈને દ્વીપક્ષીય સમજૂતી છે. આઈબીએના ઉચ્ચ કર્મચારીઓના વેતનને બેંકના પ્રદર્શન સાથે જોડવામાં આવે તેવો પ્રસ્તાવ અપાયો હતો, જેનો ઓફિસર્સ વિરોધ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોના કેટલાક વિશેષ ગ્રેડના ઓફિસરોના વેતનને પ્રદર્શન સાથે જોડવાનો પ્રસ્તાવ આઈબીએ આપ્યો છે. આ રેંકમાં જીએમ અને ડીજીએમ હોય છે, જેમની સંખ્યા લગભગ 2500 છે.

શું છે અન્ય માગણીઓ?

આ બધા ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંક કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. વર્ષ 2018-19માં 14 બેંકોએ પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેઈની કેટેગરીમાં એકપણ વેકેન્સીની જાહેરાત નથી કરી. અધિકારીઓની બેંક યુનિયનોની લાંબા સમયથી રહેલી માગણીમાં એક કેન્દ્ર સરકારના અધિકારીઓની જેમ બેંક અધિકારીઓને પણ સમાન વેતન મળે તેવી છે. સાથે જ નેશનલ પેન્શન સ્કીમના સ્થાને જૂની પેન્શન સ્કીમ ઈચ્છે છે. તેમની અન્ય માગણીમાં પાંચ દિવસનું કામ તથા બેંકો દ્વારા વિલફુલ ડિફોલ્ટરોની લિસ્ટ જાહેર થાય તે શામેલ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2HY8Lbl

No comments:

Post a Comment

Pages