Latest

Thursday, March 28, 2019

યોગ્ય તક મળે તો પાછો ફરવા આતુર: રાજન

68607997

નવી દિલ્હી:લોકસભાની આગામી ચૂંટણીમાં વિરોધપક્ષના ગઠબંધનનો વિજય થશે તો રઘુરામ રાજન નાણાપ્રધાન બનશે એવી અટકળોએ વેગ પકડ્યો છે. રાજને તેના જવાબમાં જણાવ્યું હતું કે, “હું ઉપયોગમાં આવી શકું એવી તક મળશે તો પરત ફરવા આતુર છું.” ઉલ્લેખનીય છે કે, ભાજપની આગેવાની હેઠળની સરકારમાં IMFના ભૂતપૂર્વ અર્થશાસ્ત્રી રઘુરામ રાજનને RBI ગવર્નર તરીકે બીજી તક મળી ન હતી.

રાજને તેમના નવા પુસ્તક ‘ધ થર્ડ પિલર’ના અનાવરણ પ્રસંગે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે, “હું જ્યાં છું ત્યાં ઘણો ખુશ છું, પણ તક માટે ખુલ્લું મન ધરાવું છું.” રાજન અત્યારે અમેરિકામાં યુનિવર્સિટી ઓફ શિકાગોની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસના કેથરિન ડ્યુસેક મિલર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ પ્રોફેસર ઓફ ફાઇનાન્સની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં અટકળો છે કે, વિરોધપક્ષોનું મહાગઠબંધન જીતશે તો એ નાણાપ્રધાન તરીકેની પસંદગી હશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે, ન્યૂનતમ આવક યોજના અથવા NYAYનો મુસદ્દો તૈયાર કરવામાં કોંગ્રેસે જે ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી હતી તેમાં રાજન પણ એક હતા. કોંગ્રેસ પર આવશે તો તેણે સૌથી ગરીબ 20 ટકા પરિવારોને મહિને ₹6,000 અથવા વર્ષે ₹72,000 ફાળવવાની ખાતરી આપી છે. એક ન્યૂઝ ચેનલને મંગ‌ળવારે આપેલા ઇન્ટરવ્યૂમાં રાજને જણાવ્યું હતું કે, સરકારમાં મહત્ત્વના હોદ્દા માટે કોઈ પક્ષે તેમનો સંપર્ક સાધ્યો છે કે નહીં એ કહેવું હાલ ઘણું વહેલું ગણાશે.

રાજન RBI ગવર્નર હતા ત્યારે તેમણે બેન્કોની બેલેન્સશીટને ‘સ્વચ્છ’ કરવા NPA બાબતે મહત્ત્વના નિર્ણયો લીધા હતા. નાણાપ્રધાન બનશો તો તમારી પ્રાથમિકતા શી હશે એવા પ્રશ્નના જવાબમાં રાજને જણાવ્યું હતું કે, “ટૂંકા ગાળાની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો જરૂરી છે. આ એવાં પગલાં હશે જેની મદદથી ઘણા પ્રોજેક્ટ્સને ફરી પાટા પર લાવી શકાશે. ઉપરાંત, બેન્કોની બેલેન્સશીટ શક્ય એટલી ઝડપથી ‘સ્વચ્છ’ કરી તેમને ધિરાણવૃદ્ધિના માર્ગે લાવવી જરૂરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2HLfg1W

No comments:

Post a Comment

Pages