અશ્વિનની ભૂલથી પંજાબ હાર્યું

નવી દિલ્હીઃ આંદ્રે રસેલ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું કેટલું ભારે પડી શકે છે આ કિંગ્લ ઈલેવન પંજાબને સારી રીતે ખબર પડી ગઈ હશે. નૉ બોલ પર બોલ્ડ થયા બાદ રસેલે જે કર્યું તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર જે થયું તેને રસેલ તોફાન જ કહી શકાય છે. તેની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 218 રનનો સ્કોર ઊભો કરી નાખ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રસેલે મળેલા જીવનદાનનો ઉઠાવ્યો ફાયદો

મેચ દરમિયાન મોહમ્મદ શમીએ 17મી ઓવરના છેલ્લા બોલ પર આંદ્રે રસેલની બોલ્ડ કર્યો. 138 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફેંકેલો આ બોલ તેના બેટ નીચેથી જઈને સ્ટમ્પ પર વાગ્યો. પંજાબની ટીમમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ સમયે રસેલ 5 બોલમાં માત્ર 3 રને રમી રહ્યો હતો. પરંતુ પંજાબની ખુશી વધારે સમય સુધી ન ટકી શકી. કારણ કે અમ્યારે નૉ બોલનો ઈશારો કર્યો. આ નૉ-બોલમાં બોલરની કોઈ ભૂલ નહોતી. હકીકતમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને 30 યાર્ડના સર્કલમાં જરૂરી ચાર ફિલ્ડર્સ નહોતા રાખ્યા. જે કારણે નિયમ મુજબ અમ્પાયરે તે બોલને નૉબોલ જાહેર કર્યો.
17 બોલમાં રમી 48 રનની ઈનિંગ

રસેલે આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને કિંગ્લ ઈલેવનના બોલર્સની ખૂબ ધોલાઈ કરી. ફ્રી-હીટના બોલ પર તેણે એક રન લીધો અને પછી આખી દુનિયાને બતાવ્યું કે ટી20 ક્રિકેટમાં શા માટે આ કેરેબિયન ખેલાડીને સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ બાદ તેણે 1,1,6,4,4,6,6,6,6,4,1 સ્કોરિંગ શોટ્સ હતા. અંતમાં તે 17 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો. તેની આ ઈનિંગના દમ પર જ કેકેઆરની ટીમે 20 ઓવરમાં 218 રન બનાવી શકી.
28 રનથી હાર્યું પંજાબ

આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ટીમ પર જ ભારે પડ્યો અને નીતિશ રાણા (63 રન) અને રોબિન ઉથપ્પાની (67 રન) ઈનિંગના દમ પર કેકેઆરે પહાડ જેવો સ્કોર બનાવી લીધો. જેના જવાબમાં પંજાબની ટીમ માત્ર 190 રન બનાવી શકી. જો 17મી ઓવરમાં અશ્વિને આ ભૂલ ન કરી હોત તો મેચનું પરિણામ કંઈક અલગ આવ્યું હોત.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2TAZ1Go
No comments:
Post a Comment