Latest

Saturday, March 30, 2019

જો મતદારને આંગળી જ ન હોય તો ક્યાં લગાવાય છે મતદાનની શાહી? જાણો..

આવો સવાલ તો તમને પણ થયો જ શહે

નવી દિલ્હીઃ ચૂંટણી દરમિયાન જ્યારે આપણે મતદાન કરીએ છીએ ત્યારે એક આંગળી પર ખાસ પ્રકારની શાહી લગાવવામાં આવે છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ અનુસાર વોટ નાખતા પહેલા મતદારના ડાબા હાથની પહેલી આંગળી પર શાહી લગાવાય છે. બ્રશ દ્વારા નખથી લઈને પહેલા વેઢાના જોઇન્ટ સુધી આ ન ભૂંસાય તેવી શાહી લગાવવામાં આવે છે. પરંતુ જો કોઈ મતદાર એવો હોય કે તેને આંગળી નથી આ સ્થિતિમાં શું થાય? તેને શાહી ક્યાં લગાડવામાં આવે? જો આવો પ્રશ્ન તમારા મગજમાં પણ આવ્યો હોય તો આવો જાણીએ…

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ડાબા હાથની પહેલી આંગળી જ ન હોય તો?

માની લો કે કોઈ મતદારને ડાબા હાથની પહેલી આંગળી જ નથી તો આવી સ્થિતિમાં શું થાય? આ સ્થિતિમાં તે વ્યક્તિના ડાબા હાથની કોઈપણ આંગળી પર આ શાહી લગાડવામાં આવે છે. જો ડાબા હાથની કોઈ આંગળી જ ન હોય તો જમણા હાથની પહેલી આંગળી પર શાહી લગાવાય છે.

જમણા હાથમાં પહેલી આંગળી ન હોય તો?

જો મતદારના જમણા હાથમાં પણ પહેલી આંગળી ન હોય તો જમણા હાથની કોઈપણ આંગળી પર શાહી લગાડાય છે. પરંતુ જો મતદારને બંને હાથની એક પણ આંગળી ન હોય તેવા કિસ્સામાં બંને હાથ પૈકી કોઈ એક હાથના એક ભાગ પર શાહીનો પ્રયોગ કરવામાં આવે છે. તેમજ જો બંને હાથ જ ન હોય તેવા કિસ્સામાં પગના અંગૂઠા પર આ શાહી કરવામાં આવે છે.

કેમ લગાવાય છે આ શાહી

આમ તો તમને ખબર જ હશે કે ચૂંટણીમાં થતા ફ્રોડને રોકવા માટે આ શાહી લગાડવામાં આવે છે. એકવાર આ શાહી લાગી જાય પછી તેને નખ પરથી દૂર થવામાં ખૂબ લાંબો સમય લાગે છે. તેથી કોઈ મતદાર બીજીવાર વોટિંગ કરી શકતો નથી. તેમજ જો કોઈ મતદાન કર્યા બાદ અન્ય વેશ ધારણ કરી બીજા કોઈને જગ્યાએ ફરી વોટ નાખવા આવે તો પણ શાહીના કારણે તેની ઓળખ થઈ જાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2FL9o6T

No comments:

Post a Comment

Pages