શત્રુઘ્ન સિન્હાનો દાવપેંચ

બોલિવુડ એક્ટર શત્રુઘ્ન સિન્હા પોતાના રાજનૈતિક દાવપેચના કારણે સતત ચર્ચામાં રહે છે. ભાજપ પાર્ટીએ તેમને લોકસભાની ચૂંટણી માટેની ટિકિટ આપી નથી. જે બાદ કોંગ્રેસમાં સામેલ થવાના હોવાની વાત સામે આવી રહી છે. આ સમાચારની વચ્ચે શત્રુધ્ન સિન્હાની પુત્રી અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પોતાના પિતાના રાજનૈતિક દાવપેચને લઈને મોટી વાત કહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોનાક્ષીએ આપ્યું આવું નિવેદન

હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી સોનાક્ષી સિન્હાએ પિતાના ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થવા પર કહ્યું કે, ‘આ તેમની ચોઈસ છે. મને લાગે છે કે જો તમે ક્યાંય ખુશ નથી તો તમારે બદલાવની જરૂર છે તેમણે પણ આમ જ કર્યું. મને આશા છે કે અપમાનિત થયા વગર કોંગ્રેસ સાથે જોડાઈને તેઓ વધુ સારુ કામ કરી શકશે’.
‘મારા પિતાનું થયું અપમાન’

મળેલી માહિતી પ્રમાણે શત્રુઘ્ન સિન્હા આવતા મહિને કોંગ્રેસનો હાથ પકડે તેવી શક્યતા છે. સોનાક્ષીના જણાવ્યા પ્રમાણે ભાજપમાં તેના પિતાનું અપમાન થયું છે. તેણે કહ્યું કે, ‘મારા પિતા શરૂઆતથી જ ભાજપનો ભાગ રહ્યા છે. તેઓ જેપી નારાયણ, અટલજી અને અડવાણીજીના સમયથી પાર્ટીના સભ્ય હતા. મને લાગે છે પાર્ટી અને તેના તમામ સભ્યોએ તેમને સન્માન આપ્યું નથી, જે તેમને મળવું જોઈતું હતું. મારા પિતાએ આ નિર્ણય લેવામાં ખૂબ મોડું કર્યું, તેમણે આ નિર્ણય પહેલા જ લઈ લેવો જોઈતો હતો’.
સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

સોનાક્ષી પહેલા શત્રુઘ્ન સિન્હાએ પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટર પર ભાજપ વિરુદ્ધ લખ્યું હતું કે, ‘ભાજપને છોડવું તે મારા માટે દુઃખની વાત છે. પરંતુ મારા મિત્ર લાલૂ યાદવના ગતિશીલ નેતૃતવમાં આશા છે કે બધુ સારૂ થશે’.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2U2c9JA
No comments:
Post a Comment