Latest

Sunday, March 31, 2019

રજાના દિવસે સૂતા રહીને ઊંઘ ખેંચી કાઢવાની આદત છે તો વહેલા ચેતી જજો નહીંતર….

મોટાભાગના લોકો કરે છે આવું?

આપણામાંથી મોટાભાગના લોકો વીકેન્ડ અથવા પોતાની રજાના દિવસની રાહ જોતા હોય છે, ફરવ કે પાર્ટી માટે નહીં પરંતુ કામકાજના દિવસોમાં બાકી રહી ગયેલી અપૂરતી ઊંઘનો ક્વોટા પૂરો કરવા માટે આપણે આ દિવસોમાં સૂતા રહીએ છીએ. હવે તમે તરત જ કહેશો કે તેમાં ખોટું શું છે. ઘરડા પણ કહેતા અને વિજ્ઞાન પણ કહે છેકે ઊંઘ પૂરી કરવી જોઈએ. હા આ સાચું છે પરંતુ તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ આ રીતે જે ઊંઘ પૂરી કરવામાં આવે છે તે ફાયદાની જગ્યાએ નુકસાન વધુ કરે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કઈ રીતે રજાના દિવસે ઊંઘ કરવાથી નુકસાન?

સાચું છે કે આરોગ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરુરી છે. અપૂરતી ઊંઘથી અનેક પ્રકારની આરોગ્યલક્ષી બીમારીઓ થાય છે. જેવી કે ઉચ્ચાટ, ગભરામણ, હૃદયને લગતી સમસ્યાઓ, હાઈબ્લડ પ્રેશર તેમજ કેટલાક કિસ્સામાં તો હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. પરંતુ આ ઊંઘ પૂરી કરવા માટે કોઈ એક-બે દિવસ દરમિયાન આખો દિવસ સુતા રહેવું પણ તેટલું જ નુકસાન કારક છે. આમ કરવાથી ઓબેસિટી અને હૃદયને લગતી અનેક સમસ્યા થઈ શકે છે.

અભ્યાસ

યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના સંશોધકોએ કહ્યું કે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં હેલ્ધી યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ તેમના ત્રણ ગ્રુપ બનાવ્યા જે પૈકી એક ગ્રુપ 9 દિવસ સુધી દરરોજ રાત્રે 9 કલાક સુધી સૂવાનું કહેવામાં આવ્યું. જ્યારે બીજા ગ્રુપને 9 દિવસ સુધી રોજ 5 કલાક જ સૂવાનું કહેવામાં આવ્યું. જ્યારે ત્રીજા ગ્રૂપને રોજ ઓછી કલાક પરંતુ તેમની બાકીની ઊંઘ પૂરી કરવા માટે વીકેન્ડા બે દિવસ દરમિયાન ઇચ્છા મુજબ મોડે સુધી ઊંઘવા દેવામાં આવ્યા.

અભ્યાસમાં આવ્યું આ પરિણામ

9 દિવસના અંતે સંશોધકોએ નોંધ્યું કે બીજા ગ્રૂપના પાર્ટિસિપેન્ટ્સની ઊંઘ પૂરતી નહોતી થઈ તેઓ ભોજન ઉપરાંત પણ વધુ પ્રમાણમાં નાસ્તો કરતા હતા જેથી તેમનું વજન વધ્યું હતું. જ્યારે ત્રીજા ગ્રૂપના ભાગ લેનારાઓએ વીકેન્ડના દિવસે તો પૂરતી ઊંઘ લીધી એટેલ વધારાનો નાસ્તો ન કર્યો પરંતુ બાકીના દિવસોમાં તેમનો ખોરાક બીજા ગ્રૂપ કરતા પણ વધી જતો હતો જેથી તેમનું વજવ વધારે વધ્યું હતું. જ્યારે પહેલું ગ્રૂપ જેને પૂરતી ઊંઘ મળી રહેતી હતી તેમને ક્યારેય વધારાના ફૂડની જરુર પડી નહોતી જેથી તેમનું વજન વધ્યું નહોતું.

અપૂરતી ઊંઘને પૂરી કરવા આટલું કરો

સંશોધકોના મતે જો તમારા કામકાજના કારણે ઊંઘ પૂરી ન થતી હોય તો વ્યક્તિ દિવસ દરમિયાન 20 મિનિટનું નેપ લઈ શકે છે. તે જ રીતે વીકેન્ડમાં વધારે પડતો સમય ઊંઘવા કરતા બપોરે 20-30 મિનિટ સુધી નેપ લેવું જોઈએ.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2UqIWay

No comments:

Post a Comment

Pages