નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણની જાહેરાત કરી તેમાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ચૂંટણી પંચે આ વિશે એક સમિતિની રચના કરી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી અત્યારે આચારસંહિતા લાગુ છે જેમાં મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકરંજક જાહેરાતો કરવાની મનાઈ હોય છે.
ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું કે આચારસંહિતા લાગુ છે તે બાબત ધ્યાનમાં રાખીને પોલ પેનલે અધિકારીઓની એક સમિતિને આ બાબતની ચકાસણી કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતે એક જીવંત સેટેલાઇટને તોડી પાડીને એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ ક્ષમતા પુરવાર કરી છે. આ પરીક્ષણ બાદ ભારત હવે સ્પેસ સુપરપાવરની એક્સક્લુઝિવ ક્લબમાં આવી ગયું છે અને આવી ક્ષમતા ધરાવતું ચોથું રાષ્ટ્ર બન્યું છે.
ભારતે 300 કિલોમીટરની ઊંચાઈ પર આવેલા સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યું હતું. વિરોધપક્ષોએ આ જાહેરાતને ચૂંટણી પર અસર પાડવાના પ્રયાસ તરીકે ગણાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન દ્વારા ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમણે આ વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2utnp2C
No comments:
Post a Comment