પંજાબે ટૉસ જીતી પ્રથમ બોલિંગ લીધી

કોલકાતા: IPL2019ની છઠ્ઠી મેચમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે. કેપ્ટન રવિચંદ્રન અશ્વિન માંકડિંગ વિવાદમાં ફસાયેલો હોવાની વચ્ચે કિંગ્સ ઈલેવન પંજાબ IPL 2019માં પોતાની આગામી મેચમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમશે. અશ્વિને રાજસ્થાનના જૉસ બટરલ માંકડિંગ આઉટ કરી વિવાદને જન્મ આપ્યો હતો, પણ આને કારણે તેની ટીમને 14 રને વિજય પ્રાપ્ત થયો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રસેલ વિરુદ્ધ ગેઈલનો મુકાબલો

હવે જોવાનું રહેશે કે, ઈડન ગાર્ડન્સ પર તેની ટીમ આ વિવાદના દબાણને ભૂલાવી કેવું પ્રદર્શન કરે છે. પંજાબ પાસે ક્રિસ ગેઈલ છે જેણે રાજસ્થાન વિરુદ્ધ 47 બોલમાં શાનદાર 79 રન બનાવ્યા હતા જ્યારે KKR પાસે જમૈકાનો જ આન્દ્રે રસેલ છે જેણે પણ પોતાની ટીમ માટે 19 બોલમાં 49 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. હવે જોવાનું એ રહ્યું કે, બંનેની ટક્કર કોણ કોને પછાડે છે. બંને ટીમો પોતપોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે હવે આજે કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.
કાગળ પર KKR વધુ મજબૂત

આ ઉપરાંત બંને ટીમોની મજબૂતીની વાત કરીએ તો KKR પાસે રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, નીતીશ રાણા, સુનીલ નારાયણ જેવા અનુભવી અને સફળ ખેલાડીઓ છે. સાથે-સાથે શુભમન ગિલ જેવા યુવા ટેલેન્ટડ ખેલાડી પણ છે. બીજી બાજુ પંજાબ પાસે પણ લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ. કરુણ નાયર, કેપ્ટન રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી પ્લેયર્સ છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2TFzICS
No comments:
Post a Comment