પંજાબનો ટૉસ જીતી ફિલ્ડીંગ નિર્ણય

IPL 2019ની 9મી મેચમાં મોહાલીના આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે શનિવારે પ્રથમ મેચમાં પંજાબ અને મુંબઈનો સામનો થવા જઈ રહ્યો છે. પંજાબે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. અશ્વિનની આગેવાની વાળી પંજાબ અને રોહિત શર્માની આગેવાનીવાળી ટીમો આ લીગમાં પ્રથમવાર એકબીજા સામે ટકરાવા જઈ રહી છે. બંને ટીમો આ ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી ચૂકી છે જેમાં બંને એક-એક જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ, હવે બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બંને ટીમોના કી પ્લેયર્સ

કિંગ્સ ઈલેવન પંજાબ અત્યારે પોઈન્ટ ટેબલ્સમાં ચોથા જ્યારે મુંબઈ પાંચમા સ્થાને છે. જોકે, બંનેના પોઈન્ટ્સ સરખા છે. આવામાં ટીમ પોતાના મહત્વના પ્લેયર્સ પાસેથી આશા રાખશે કે, તે આ મેચમાં ટીમને જીત અપાવે. પંજાબ પાસે ક્રિસ ગેઈલ, કે એલ રાહુલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર જેવા શાનદાર બેટ્સમેનો છે. જ્યારે મુંબઈ પાસે રોહિત શર્મા, યુવરાજ સિંહ, ક્વિન્ટન ડી કૉક, કેરોન પોલાર્ડ, પંડ્યા બ્રધર્સ જેવા મોટા નામો છે. બોલિંગમાં પણ બંને ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. બંને ટીમોના ફેન્સને આજે યુવરાજ અને ક્રિસ ગેઈલ પાસેથી ખાસ આશાઓ હશે.
કોણ કોના પર ભારે

અત્યાર સુધી બંને ટીમો વચ્ચે થયેલી ટક્કરની વાત કરીએ તો બંને વચ્ચે રમાયેલી 22 મેચોમાં મુંબઈ 12 જ્યારે પંજાબ 10 મેચોમાં વિજય રહી છે. આમ, આંકડા બાબતે બંને ટીમો લગભગ સામાન દેખાઈ રહી છે. બંને ટીમો છેલ્લે વાનખેડે સ્ટેડિયમમાં 2018માં ટકરાઈ હતી જેમાં મુંબઈએ જીત મેળવી હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2I2BoED
No comments:
Post a Comment