Latest

Tuesday, April 23, 2019

બિલ્કિસ બાનોને 2 સપ્તાહમાં 50 લાખનું વળતર ચૂકવવા ગુજરાત સરકારને SCનો આદેશ

 

સુપ્રીમ કોર્ટે મંગળવારે બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારને રુ. 50 લાખનું વળતર પીડિતા બિલ્કિસ બાનોને ચૂકવવા આદેશ કર્યો છે. વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન રંધિકપુર ગામે ગર્ભવતી બિલ્કિસ બાનો સાથે સામુહિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘આગામી બે સપ્તાહમાં પીડિતાને વળતરની રકમ ચૂકવવામાં આવે તેમજ તેમને સરકારી નોકરી અને સરકારી આવાસ આપવામાં આવે.’

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

3 માર્ચ, 2002ના રોજ કોમી તોફાનોના પગલે બિલ્કિસ બાનોના પરિવારના 14 સભ્યોની હત્યા કરવામાં આવી હતી અને ગર્ભવતી હોવા છતા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે 4 મે 2017માં 12 આરોપીઓની જન્મટીપની સજાને યથાવત રાખતા ડોક્ટર અને પોલીસ જવાન સહિત 7 લોકોને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ટ્રાયલ કોર્ટે 2008માં 11 વ્યક્તિઓને આજીવન કારાવાસની સજા આપતા 5 પોલીસ અધિકારી અને 2 સરકારી ડોક્ટરને બેનેફિટ ઓફ ડાઉટ હેઠળ રાહત આપી હતી.

આ કેસમાં ગત મહિને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાનો ઉધડો લેતા બોમ્બે હાઈકોર્ટ દ્વારા આદેશ કર્યા મુજબ જવાબદાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા લેવા માટે જણાવ્યું હતું. ગુજરાત સરકારે આ પહેલા રુ 5 લાખ વળતર તરીકે આપવાની બિલ્કિસ બાનોને ઓફર કરી હતી પરંતુ તેમણે આ રકમ સ્વીકારી નહોતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GAXkFt

No comments:

Post a Comment

Pages