ક્યાં આવેલું છે ગામ

વેકેશનમાં શિમલા-મનાલી કે પહાડી વિસ્તારના પેકેજ બજેટની બાહર જતા હોય અને છત્તા શિમલા જેવી મજા કરવી હોય તો છત્તીસગઢ ફરવા જેવું રાજ્ય છે. છત્તીસગઢના અંબિકાપુરથી 75 કિમી દૂર આવેલું છે એક ગામ. જેનું નામ છે મેનપાટ. જેને મિની શિમલાથી કે છત્તીસગઢના શિમલાથી પણ ઓળખવામાં આવે છે. દરિયાની સપાટીથી 3600 ફૂટની ઊંચાઈએ આવેલા આ ગામમાં મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાડે છે. વિંધ્ય પર્વતની નજીક આવેલા આ ગામની સૌથી ખાસ વાત એ છે કે, અહીં વધુ પડતી ગરમી પડતી નથી પણ ચોમાસું અને શિયાળો ધ્રુજાવી દે તેવા હોય છે.
કેવી રીતે બન્યું?

આપણા રાષ્ટ્રગીતમાં એક સરસ લાઈન છે. વિધ્ય હિમાચલ યમુના ગંગા. એ વિધ્ય પર્વત એટલે આ જગ્યા. અનોખું ત્તિબેટીયન કલ્ચર અને શાંત વાતાવરણ વચ્ચે એક અદ્ભૂત કુદરતી નજારો જોવા મળે છે. 1963માં પ્રથમ વખત લામાના ગુરુઓ અહીં આવીને સ્થાયી થયા હતા. તેથી મેનપાટને મિનિ ત્તિબેટ પણ કહેવાય છે. સમગ્ર છત્તીસગઢમાં મેનપાટમાં જ બૌદ્ઘ મંદિર જોવા મળે છે. જ્યાં 2000થી વધારે લામા રહે છે. જ્યારે 1959માં દલાઈ લામા સાથે 80,000 અનુયાયીઓ ભારતમાં આવ્યા હતા. હાલમાં 12000થી વધારે લામા ભારતમાં વસવાટ કરે છે.
ખેતી પણ કરે છે

અહીં વસતા લામા ખેતી પણ કરે છે. જે નેપાલથી લાવેલા કુટુથી નામના પાકની ખેતી કરે છે. જ્યારે તેઓ ભારતમાં આવ્યા હતા ત્યારે તેમને 3 હજાર એકર જમીન ખેતી માટે આપવામાં આવી હતી. આ સિવાય અહીં ઝલઝલા પોઈન્ટ ખાસ જોવા જેવો છે, જ્યાં કુદકા મારવાથી જમીન હલે છે. એવું માનવામાં આવે છે કે, એક સમયે અહીંથી નદી વહેતી હતી. બીજી પણ એવી માન્યતા છે કે, અહીં જ્વાળામુખીનો પોઈન્ટ છે. ત્યાંથી આગળ જશો એટલે ટાઈગર પોઈન્ટ ખાસ જોવા જેવો છે. અહીં એક વોટરફોલ છે જે વહે છે ત્યારે કોઈ વાઘ ગર્જના કરી રહ્યો હોય એવો અવાજ આવે છે. શિમલામાં પણ આવો જ નજારો જોવા મળશે.
ક્યારે પ્લાન કરી શકાય?

ઉનાળામાં તો અહીં આવવાનું આયોજન કરી શકાય છે પણ અહીં કુદરતની ક્રિએટિવિટી જોવી હોય તો શિયાળા કે ચોમાસામાં એક વખત અવશ્ય આવવું જોઈએ. રસ્તાની બંને તરફનું ઘાસ અને નદી-નાળા ફોટા ક્લિક કરવા મજબુર કરી દેશે. વરસાદની સિઝનમાં અહીં સૌથી વધારે ઠંડકનો અહેસાસ થાય છે. તેથી આસપાસ રહેતા સ્થાનિકો કે રાયપુર સિટીમાંથી લોકો ચોમાસામાં અહીં આંટો મારવા માટે આવે છે. જે લોકો શિમલાના મોટા બજેટમાં જવા નથી માગતા તેઓ અહીં આવીને એન્જોય કરે છે.
કેવી રીતે પહોંચશો?

એક તો રાયગઢ-કારાબેલના રસ્તેથી અહીં પહોંચવા માટે 83 કિમીનું અંતર કાપવું પડે છે. જ્યારે અંબિકાપુરથી તે 75 કિમી દૂર છે. બંને રસ્તાઓ ખૂબ જ સ્પેશ્યલ છે કારણ કે, રસ્તાની બંને તરફ લીલાછમ વૃક્ષો અને કિનારે લીલુછમ ઘાસ એક વખત કાર બ્રેક કરવા માટે લલચાવી દેશે. આ સિવાય ફિશિંગ પોઈન્ટ, મેહતા પોઈન્ટ, મેન હાઈવે પોઈન્ટ જેવા પોઈન્ટ પર ખાસ આંટો મારવા જેવો છે. અહીં મોટા પ્રમાણમાં બોક્સાઈટ ખનિજ મળી આવે છે, જેનો ઉપયોગ એલ્યુમિનિયમ બનાવવા માટે થાય છે. કેટલાય મજૂર અહીં બોક્સાઈટની ખાણમાં કામ કરે છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2GyDFWP
No comments:
Post a Comment