સાયરા ખાનનું આકસ્મિક અવસાન

વિવાદિત ફિલ્મ ‘કામસૂત્ર 3D’ની એક્ટ્રેસ સાયરા ખાનનું શુક્રવારે અચાનક અવસાન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયરાના મોતનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે. તેણે ‘કામસૂત્ર 3D’માં શર્લિન ચોપરાને રિપ્લેસ કરી હતી. એક્ટ્રેસના આકસ્મિક અવસાન પર બોલિવૂડે દુ:ખ વ્યક્ત કર્યું છે.
‘કામસૂત્ર 3D’ના પ્રોડ્યૂસરે દુ:ખ વ્યક્ત કર્યું

સાયરાના અવસાન પર ‘કામસૂત્ર 3D’ના પ્રોડ્યૂસર રૂપેશ પૉલે દુ:ખ વ્યક્ત કરતા એક વેબસાઈટને કહ્યું કે, ‘મને આ વાતની બિલકુલ આશા નહોતી. ફિલ્મમાં શર્લિનનું સ્થાન લીધા બાદ સાયરાએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. સાયરા માટે આ રોલ ખૂબ મુશ્કેલીઓ ભર્યો હતો. તે એક મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી, જે રૂઢિવાદી હતો. પણ, જ્યારે તેણે રોલ ભજવ્યો ત્યારે સાબિત કરી દેખાડ્યું કે, તેના કરતા આ પાત્રને સારી રીતે કોઈ ભજવી શકે તેમ નહોતું.’
ખૂબ વિવાદનો સામનો કર્યો

રૂપેશે સાયરાના અવસાન પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું, ‘સાયરાના જવા પર તેના પ્રત્યે કોઈએ સંવેદના વ્યક્ત નથી કરી. તે એક સારી એક્ટ્રેસ હતી અને હું તેની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’ જણાવી દઈએ કે , ‘કામસૂત્ર 3D’ની રિલીઝ બાદ શર્લિન ચોપરા અંગે ખૂબ વિવાદ થયો હતો. આના કારણે સાયરા ખાન જે ઓળખની હકદાર હતી તે તેને મળી શકી નહોતી.
વધારે નોંધનીય ન રહ્યું કરિયર

કરિયરની વાત કરીએ તો સાયરા 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કામસૂત્ર 3D’ બાદ કેટલીક રિજનલ ફિલ્મોમાં જોવા મળી હતી. ‘કામસૂત્ર 3D’થી જ તેણે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું હતું. જોકે, સાયરા લાંબા સમયથી ફિલ્મોમાં દેખાઈ નહોતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2GypO2S
No comments:
Post a Comment