Latest

Thursday, April 25, 2019

45 મિનિટ ગાવાની અધધ ફીઝ વસૂલે છે અરિજીત, તેના મોટા ફેન હશો તો પણ આ વાતો નહિ ખબર હોય

આજે અરિજીતનો જન્મદિવસઃ

અરિજીત સિંહ બોલિવુડના સૌથી પોપ્યુલર અને સફળ ગાયકોમાંનો એક છે. પોતાના મીઠા સૂર અને શાનદાર ગાયકીથી તે કરોડો ચાહકોના દિલ જીતી ચૂક્યો છે. આજે અરિજીત સિંહનો જન્મ દિવસ છે અને તે 32 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ પશ્ચિમ બંગાળના નાના શહેર મુર્શિદાબાદમાં થયો હતો પરંતુ આજે મુંબઈમાં તેના નામનો ડંકો વાગે છે. અરિજીતે પોતાની લગન અને પ્રતિભાથી આગવી ઓળખ બનાવી છે. મીડિયાથી દૂર ભાગતા અને સ્વભાવે શરમાળ અરિજીતનો વિવાદો ક્યારેય પીછો નથી છોડતા.

આ રીતે મળ્યો હતો બ્રેકઃ

અરિજીત સિંહ ગુલામ અલી, જગજીત સિંહ, મેહંદી હસનના ગીતો સાંભળવાનું પસંદ કરે છે. 2011માં મર્ડર 2ના ‘ફિર મહોબ્બત કરને ચલા હૈ તૂ’ ગીતથી તેણે બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી. આ ગીતે અરિજીતને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. અરિજીતે આ ગીત 2009માં ગાયું હતું પરંતુ તે ત્યારે રીલીઝ નહતું થઈ શક્યું.

અધધ ફી વસૂલે છેઃ

અરિજીત આ ગીત ગાઈને ભૂલી ચૂક્યો હતો પરંતુ 2011માં ગીત રીલીઝ થયું ત્યારે અરિજીતના એક મિત્રએ તેનું ધ્યાન દોર્યું. જોકે આજની વાત ઓર છે. અરિજીતની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ભારે ડિમાન્ડ છે. તે 45 મિનિટ ગાવા માટે 1.5 કરોડ રૂપિયા વસૂલે છે. બોલિવુડમાં એક ગીત ગાવા માટે તે 16 લાખ જેટલી તગડી ફી વસૂલે છે. જો કે લખલૂટ રૂપિયા હોવા છતાંય અરિજીત સાવ સાદુ જીવન જીવે છે. તે આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે.

લગ્ન અંગે એક મિસ્ટ્રી છેઃ

અરિજીતે પહેલા લગ્ન કોની સાથે કર્યા તે આજે પણ મિસ્ટ્રી છે. તેના લગ્નને લઈને ચર્ચા થયા કરતી હોય છે. 2014માં અરિજીતે તેની બાળપણની ફ્રેન્ડ કોયલ રૉય સાથે બીજા લગ્ન કર્યા હતા. તે પહેલેથી એક બાળકની માતા છે. એવું કહેવાય છે કે અરિજીતના પહેલા લગ્ન ઉતાવળે થયા હોવાથી લાંબા ટકી ન શક્યા.

સલમાન ખાન સાથે નથી સારુ બનતુઃ

આશિકી-2ના તુમ હી હો ગીતે અરિજીતની કિસ્મત પલટી નાંખી હતી. જો કે આ ગીત માટે તેને જે એવોર્ડ માટે નોમિનેટ કરાયો હતો તે શો સલમાન ખાન હોસ્ટ કરતો હતો. અરિજીતનું નામ વિનર તરીકે એનાઉન્સ થયું ત્યારે તે ઊંઘી ગયો હતો અને તે કેઝ્યુઅલ શર્ટ અને ચપ્પલ પહેરી સ્ટેજ પર પહોંચી ગયો. સલમાનને અરિજીતનો આ એટિટ્યુડ પસંદ ન આવ્યો. સલમાને તેને પૂછ્યું- “તુ સૂઈ ગયો હતો?” અરિજીતે કહ્યું- “તમે લોકોએ મને ઊંઘાડી દીધો.” અરિજીતની આ ભૂલ તેને ભારી પડી ગઈ. તેણે સલમાનની જાહેરમાં માફી માંગવી પડી હતી પરંતુ સલમાને તેને આજ સુધી માફ નથી કર્યો અને સલમાનની એકે ફિલ્મમાં અરિજીતના ગીત નથી હોતા.

અંડરવર્લ્ડના નિશાના પર આવી ચૂક્યો છેઃ

2015માં અરિજીત પાસેથી ગેંગસ્ટર રવિ પૂજારીએ 5 કરોડ ખંડણી માંગી હતી. અરિજીતે તેની પોલીસ ફરિયાદ નહતી કરી. ઓશિવરા પોલીસ સ્ટેશને આપેલી માહિતી મુજબ પુજારીએ હફતા તરીકે આ રકમ માંગી હતી. અરિજીતે આટલી રકમ તેની પાસે ન હોવાનું કહેતા તેના માણસ માટે મફતમાં બે શો કરવાની ધમકી આપી હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2ITYkWR

No comments:

Post a Comment

Pages