પ્રિયંકાની સાસરિયાંઓની હરકત

પ્રિયંકા ચોપરા અને નિક જોનસને લઈને થોડા દિવસ પહેલા એક મેગેઝિને દાવો કર્યો હતો કે બંને વચ્ચે કંઈક ઠીક ચાલી રહ્યું નથી અને તેથી તેઓ છુટાછેડા લેવાના છે. આ ખબરે જોર પકડ્યા બાદ બંનેના મિત્રો તરફથી નિવેદન આવ્યું હતું કે આ માત્ર અફવા છે અને મેગેઝિને પોતાનું વેચાણ વધારવા માટે આમ કર્યું છે. આ વચ્ચે પ્રિયંકાના સાસરિયાંઓએ કંઈક એવું કર્યું છે જે ફરીથી ન્યૂઝમાં છવાયું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જો જોનસના ટૂંક સમયમાં થશે લગ્ન

નિક જોનસનો ભાઈ જો જોનસ અને તેની વાગ્દત્તા સોફી ટર્નર ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. આગામી બે મહિનામાં તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે. ત્યારે લગ્ન પહેલા પ્રિયંકાના પતિ અને સાસરિયાંઓએ એવી વાત કરી છે જેના વિશે સાંભળીને તેને માઠું લાગે.
‘બીયર ખત્મ ન થાય તેનું ધ્યાન રાખીશ’

જૈચ સેંગ શોમાં નિક પોતાના બંને ભાઈઓ કેવિન અને જો સાથે પહોંય્યો હતો. શોમાં જોએ જણાવ્યું કે તે કેવી રીતે પોતાના લગ્નની તૈયારીઓ કરવા માગે છે. જોએ કહ્યું કે, ‘લગ્નમાં હું એકવાતનું ખાસ ધ્યાન રાખવા માગુ છું અને તે છે બીયર. અમે ફ્રાંસમા લગ્ન કરવાના છીએ, એટલે પૂરતી માત્રામાં બીયર હોવી જરૂરી છે. બીયરનો સ્ટોક ખૂટી પડે તેમ હું ઈચ્છતો નથી’.
પ્રિયંકાના લગ્નમાં થયું હતું આવું

જોના આમ કહેવા પર નિકે કહ્યું કે, ‘તે આમ એટલા માટે કહી રહ્યો છે કારણ કે મારા લગ્નમાં બીયર ખત્મ થઈ ગઈ હતી, જેના કારણે તેના મિત્રોને ખુબ તકલીફ પડી હતી. મારા લગ્ન બાદ બધાએ એ શીખ મેળવી છે. અમારા મિત્રો બીયર વધારે પીવે છે અને લગ્નમાં બીયર ખત્મ થઈ જવાના કારણે ઘણી તકલીફ પડી હતી’.
જોધપુરમાં પ્રિયંકા-નિકના થયા હતા લગ્ન

તો નિકના બીજા ભાઈને કેવિનને પૂછવામાં આવ્યું કે જ્યારે બીયર ખત્મ થઈ ગઈ ત્યારે તેમણે શું કર્યું. જેના જવાબમાં કેવિને કહ્યું કે, ‘બીયર ખત્મ થયા બાદ એવું લાગ્યું કે બસ હવે આમ જ ચાલવાનું છે. તો પછી ઠીક છે’. પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં જોધપુરમાં શાહી લગ્ન કર્યા હતા. જેમાં તેના નજીકના મિત્રો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Um07WW
No comments:
Post a Comment