નવી દિલ્હી: લોકસભા ચૂંટણી અગાઉ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંકલ્પ પત્ર સુશાસન પત્ર પણ છે, અને રાષ્ટ્રની સમૃદ્ધિનું પ્રતિક પણ છે. પીએમે જણાવ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચારની ચર્ચા તો ઘણી થઈ છે. અમે શાસન વ્યવસ્થામાં અનેક પરિવર્તન કર્યા છે. અનેક અધિકાર નીચે સુધી આપ્યા છે, જેથી શાસનમાં સરળતા રહે. ટેક્નોલોજીથી પણ તેમાં ખાસ્સી મદદ મળી છે.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
2014-19ના પોતાના કાર્યકાળના કામની સમીક્ષા જરુરી છે તેમ કહેતા પીએમે જણાવ્યું હતું કે, અમારી સરકારનું અગાઉની સરકાર સાથે મૂલ્યાંકન થવું જોઈએ. જે કામ 1950-55માં થઈ જવા જોઈતા હતા તે મારે હવે કરવા પડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જેવી જ્યાં આવશ્યકતા, તે રીતે અમે આગળ વધવા ઈચ્છીએ છીએ. રાજનીતિ ચાલી શકે છે, દેશનીતિ ચલાવવા માટે અમારે મલ્ટિ ડાયમેન્શનલ લેવલ પર કામ કરવું પડે છે.
2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવતો હશે. તેના માટેનો મજબૂત આધાર 2019થી 2024માં જ મૂકવો પડશે. અમે સંકલ્પ પત્રમાં આ જ વાતનો ઈશારો કર્યો છે. ગામ, ગરીબ અને ખેડૂત અમારા કેન્દ્રમાં છે. દેશના યુવાનો આગામી પાંચ વર્ષમાં 2047નું ભવિષ્ય નક્કી કરવાનો છે. દેશના નવજવાનો માટે તે પ્રકારના અવસર પણ ઉપલબ્ધ કરાવવા જરુરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકીય વ્યવસ્થા અને ખાસ કરીને વહીવટી વ્યવસ્થામાં ખરાબીઓ ઘૂસી ગઈ છે, તેના પર નીતિ બનાવવાની છે, અને સુધારાનો સંકલ્પ પણ લેવાનો છે.
પીએમે કહ્યું હતું કે, આપણા દેશમાં એક પ્રકારનો વિચાર ઘર કરી ગયો છે કે જનતાને ગમે તેટલું આપો તે ઓછું જ પડે છે. હું માનું છું કે આમ કહેવું દેશવાસીઓનું અપમાન છે. મેં એક વાર લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે સંભવ હોય તો ગેસ સબસિડી છોડી દો, અને સવા કરોડથી વધુ લોકોએ તેને છોડી દીધી. તેવી જ રીતે રેલવેમાં લાખો સીનિયર સિટિઝનોએ પણ પોતાને મળતા ડિસ્કાઉન્ટને છોડ્યું છે. ગરીબી વિરુદ્ધની લડાઈ વિશે પીએમે કહ્યું હતું કે ગરીબીને દિલ્હીના એસીમાં બેઠેલા લોોક પરાસ્ત નહીં કરી શકે. ગરીબીને ગરીબ જ પરાસ્ત કરી શકશે.
દેશમાં આગામી સમયમાં પાણીની સમસ્યાનો અંદેશો વ્યક્ત કરતા પીએમે જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વાર અલગ જળ શક્તિ મંત્રાલય નબશે. નદીઓના જળનો વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે થઈ શકે, નળથી જળ કઈ રીતે પહોંચાડી શકાય તેના પર અમે કામ કરવા ઈચ્છીએ છીએ. પાણના મામલે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા અમે ઈચ્છીએ છીએ, અને તે આ મુદ્દાને આગળ લઈ જશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UIChIY
No comments:
Post a Comment