ચાણક્યની આ પાંચ વાતો ગાંઠ બાંધી લો કામ લાગશે

આચાર્ય ચાણક્યને ભારતના જ નહીં દુનિયાના મહાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રીમાંથી એક ગણવામાં આવે છે. તેમણે પોતાની નીતિઓના આધારે જ ચંદ્રગુપ્તને સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવ્યો હતો. તેમની રાજનીતિને અનેક મહાન શાસકોએ સ્વીકારી છે. ત્યારે ચાણક્યને પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે એક બુદ્ધીમાન વ્યક્તિએ ક્યારેય આ 5 વસ્તુઓ અંગે કોઈને જાણ કરવી જોઈએ નહીં.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આવી વાતો છુપાવીને રાખવામાં જ ભલાઈ

सुसिद्धमौषधं धर्मं गृहच्छिद्रं च मैथुनम्।
कुभुक्तं कुश्रुतं चैव मतिमान्न प्रकाशयेत्॥
આચાર્ય ચાણક્ય મુજબ બુદ્ધીમાન વ્યક્તિએ ક્યારે પોતાની બીમારી અંગે કોઈને ખુલીને જણાવવું જોઈએ નહીં. આમ કરવાથી તકસાધુઓ અને શત્રુઓ તેની બીમારીનો લાભ ઉઠાવી શકે છે. તેમજ બીમારીની જેમ પોતે કઈ દવા લઈ રહ્યો છે તેની પણ માહિતી આપવી જોઈએ નહીં.
ખરાબ સમયમાં નથી આપતું કોઈ સાથ

આ ઉપરાંત ધર્મ અંગેના રહસ્યોને પણ કોઈ પાત્રતા વગર ઉજાગર કરવા જોઈએ નહીં. કેમ કે અપાત્ર વ્યક્તિને રહસ્ય જણાવવાથી તે તમને હાસ્યાસ્પદ ઠેરવશે.
દુશ્મન ઉઠાવશે ફાયદો

જો તમારા ઘરની કોઈ વાત હોય કે પછી ઘરના વ્યક્તિની કોઈ ખામી તેના ગુણગાન કોઈને સામે ગાવા જોઈએ નહીં. આમ કરવાથી શત્રુ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે. અને તમને નુકસાન પહોંચાડી શકે છે.
આ વસ્તુ કરે છે ભવિષ્યમાં નુકસાન

જો તમે અયોગ્ય પાત્ર સાથે કે અયોગ્ય રીતે મૈથુન કરો છો અથવા કોઈ ખાવા યોગ્ય ન હોય તેવી વસ્તુ ખાવ છો તો આ બે બાબત કોઈને પણ કહેવી જોઈએ નહીં. જો તમે આ વાતો જાહેર કરો છો તો તમારા જ ચારિત્ર્ય પર શક કરવામાં આવી શકે છે. તેમજ ભવિષ્યમાં તેનું નુકસાન પણ વેઠવું પડી શકે છે.
હાસ્ચાસ્પદ ઠેરશો

શ્લોકના અંતમાં ચાણક્ય જણાવે છે કે જો તમે કોઈના વિશે ખરાબ સાંભળ્યું હોય કે પછી તમારા વિશે કોઈ ખરાબ વાત કરતું હોય આ બંને બાબતો જો તમને ખબર હોય તો પણ ક્યારેય બીજા સાથે ચર્ચા કરવી નહીં. આમ કરવાથી વ્યક્તિ પોતાને હાસ્પાસ્પદ સ્થિતિમાં જતા બચાવી શકે છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2JUaEbV
No comments:
Post a Comment