Latest

Monday, April 1, 2019

ચૈત્રી નવરાત્રિમાં કરો કમળનો આ પ્રયોગ, માતાજીની અઢળક કૃપા વરસશે

શક્તિની ઉપાસનાનું મહાપર્વઃ

શક્તિની ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિ. નવરાત્રિની સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો પર આખુ વર્ષ પોતાની કૃપા વરસાવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય દર્શાવાયા છે. ભક્તિભાવથી આ ઉપાય કરવામાં આવે તો સારુ ફળ મળે છે. જાણો માતા જગદંબાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.

કમળનું ફૂલ ચડાવોઃ

માતાજી પ્રસન્ન થાય તો તે પોતાના ભક્તોને ત્રિવિધ તાપ એટલે કે શારીરિક, દૈવિક અને ભૌતિક પીડામાંથી મુક્તિ આપે છે. આવા ભક્તોને સુખ સંપત્તિ અને આરોગ્યનો આશીર્વાદ મળે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા માટે પૂજામાં લાલ રંગના ફૂલનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. માતાજીને ઝડપથી પ્રસન્ન કરવા માંગતા હોવ તો નવરાત્રિના નવ દિવસમાંથી એક દિવસ માતાજીને કમળનું ફૂલ અવશ્ય ચડાવો. ધનની દેવી માતા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. આ ફૂલને ચડાવી પૂજા કરવાથી ધન, સંપત્તિનો આશીર્વાદ મળે છે.

ક્ષમા યાચનાઃ

શક્તિની પૂજા આરાધના કરવામાં કોઈ ક્ષતિ રહી જાય તે શક્ય છે. તેનું નિદાન પણ ધર્મ શાસ્ત્રમાં છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા બાદ ક્ષમા પ્રાર્થના પણ આપેલી છે. તેમાં માતાજીને અરજી છે કે પૂજા દરમિયાન ભૂલ-ચુક થઈ ગઈ હોય તો દુર્ગા સપ્તશતીના અંતમા ક્ષમા પ્રાર્થના કરી માતાજીની માફી માંગવાનો ઉલ્લેખ છે. આ ક્ષમા યાચના સિવાય માતાજીની પૂજા સંપન્ન નથી થતી. માતાજીની પૂજા શ્રદ્ધાપૂર્વક અને વિધિસર થાય તેવો પ્રયત્ન કરવો.

સ્વસ્તિકઃ

ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર કરવા નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પાસે સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. ગણેશજીની પૂજા પણ વિધિ-વિધાનથી કરો. આમ કરવાથી તમારી બધી બાધાઓ દૂર થશે.

લક્ષ્મીજીના આ સ્વરૂપની પૂજાઃ

નવરાત્રિમાં કમળના ફૂલ પર બેઠેલા લક્ષ્મીજીની છબિની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. આમ કરવાથી અંબાજીની સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા મળશે.

કોડીનો પ્રયોગઃ

આર્થિક મુશ્કેલી દૂર કરવા નવરાત્રિમાં માતાજીને લાલ કપડામાં કોડી વીંટીને અર્પણ કરો. આ પોટલીને પોતાના ઘરની તિજોરીમાં રાખી દો.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2UkQFqR

No comments:

Post a Comment

Pages