8 અંક અને કેટલીક માન્યતાઓ
ધાર્મિક બાબતોમાં આઠ અંકને સંપૂર્ણ નંબર માનવામાં આવે છે. ઉપથી નીચે કે નીચેથી ઉપર આ અંક સંપૂર્ણ છે. આ અંક જીવનની આશા અને અપેક્ષાનો પણ નંબર છે. અહીં વચ્ચે જે ગાંઠ બને છે જે જીવનની જટિલતા દર્શાવે છે. આઠ અંક એ દર્શાવે છે જીવનના બે ભાગ હોય છે. આઠ અંકનો સંબંધ શનિદેવ સાથે પણ છે. તેથી કેટલાક લોકો આઠ અંકથી ડરી રહ્યા છે. કૃષ્ણ આ અંકે સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ દૂર કરવા માગતા હતા. કૃષ્ણ અવતાર એ વિષ્ણુનો આઠમો અવતાર છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
8 અને કૃષ્ણ

કૃષ્ણનો જન્મ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે કે હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા માસની કૃષ્ણપક્ષની આઠમના રોજ થયો હતો. જેને જન્માષ્ટમીથી ઓળખવામાં આવે છે. આ તહેવારને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ સિવાય કૃષ્ણના જીવનમાં આઠ એવી પટરાણી હતી જે તેને ખૂબ ગમતી હતી. આ સિવાય કૃષ્ણને 16100 રાણીઓને નરકાસુરની કેદમાંથી બચાવી હતી. આ અંક 16100ને છૂટા પાડીને સરવાળો કરીએ તો અંક આઠ મળે છે. જેની સાથે કૃષ્ણએ વિવાહ કર્યા હતા. જેથી સમાજ આ મહિલાઓ સામે કોઈ સવાલ ન ઉઠાવે
ભગવદ ગીતા

ભગવત ગીતાના આઠમા અધ્યાયનો આઠમો શ્લોક, “परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे” ખૂબ જ મહત્ત્વનો શ્લોક છે. જેનો અર્થ એ થાય છે કે, સજ્જન પુરુષોનો ઉદ્ધાર કરવા માટે અને પાપીઓનો વિનાશ કરવા માટે તથા ધર્મની સ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થાવ છું.
કૃષ્ણજીવન

કૃષ્ણએ પૃથ્વી પર આશરે 125 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. હવે આ અંકને છૂટા પાડીએ અને સરવાળો કરીએ તો 1 2 5 જેનો જવાબ આઠ આવે છે. આઠ અંકને મુલ્યાંકનો સ્વામી અંક પણ માનવામાં આવે છે. આ સિવાય 8 અંક ભાગ્યને પ્રભાવિત કરતો અંક પણ છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IMSLKM
No comments:
Post a Comment