કાલાષ્ટમીનું વિશેષ મહત્ત્વ
આ વર્ષે 27 એપ્રિલના રોજ કાળઅષ્ટમી છે. દર મહિના કૃષ્ણપક્ષની આઠમને કાલાષ્મી કહે છે. પુરાણોમાં કાલભૈરવને શક્તિશાળી રુદ્ર માનવામાં આવ્યા છે. શિવપુરાણ અનુસાર કૃષ્ણ પક્ષની આઠમતિથિના રોજ કાળભૈરવ પ્રગટ થયા હતા. માન્યતા છે કે, કાળભૈરવનું વ્રત રાખવાથી ભાવિકોની દરેક મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત કોઈ તંત્ર-મંત્રની પણ ચિંતા રહેતી નથી. આ દેવને સૌથી શક્તિશાળી દેવ માનવામાં આવે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શું છે મહત્ત્વ?

કાળઅષ્ટમીના દિવસે કાળભૈરવની પૂજા અને ઉપવાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. કાળભૈરવની પૂજાવિધિ પૂરી આસ્થાથી કરવી જોઈએ. જ્યારે ઉપવાસ રાખવાથી અનેક પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. આ ઉપરાંત જીવનમાં પણ તમામ વિધ્નો દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, કાળભૈરવની પૂજા કરવાથી ગ્રહ-નક્ષત્રના પ્રભાવ કે નકારાત્મક અસર પણ દૂર થાય છે. કાળભૈરવને મહાદેવું રુપ પણ માનવામાં આવે છે.
તંત્ર-મંત્રના તાંત્રિકોના દેવ

નારદપુરાણ અનુસાર કાળભૈરવનું વ્રત કરનારાઓએ વહેલી સવારે સ્નાન કરી લેવું જોઈએ. ત્યાર બાદ વ્રત સંકલ્પ કરવો જોઈએ. ત્યાર બાદ શિવજી કે ભૈરવનાથની પૂજા કરવી જોઈએ. દિવસભર તેનો જાપ કરવો જોઈએ. ત્યાર બાદ શિવ-પાર્વતી તથા કાળભૈરવની પૂજા કરવી જોઈએ. આ કાળભૈરવને તંત્ર-મંત્રના તાંત્રિકોના દેવતા માનવામાં આવે છે તેથી તેની પૂજા રાત્રીના સમયે પણ થાય છે. આ દિવસે કાળા શ્વાનની પણ પૂજા કરવામા આવે છે.
પ્રભુકૃપા થાય છે.

કાળા શ્વાનની પૂજા કરવાથી જીવનમાં પ્રભુકૃપા બની રહે છે. આ સિવાય કાળભૈરવની કથા પણ સાંભળવી જોઈએ. अतिक्रूर महाकाय कल्पान्त दहनोपम्, भैरव नमस्तुभ्यं अनुज्ञा दातुमर्हसि!! મંત્રનો જાપ પણ કરવો જોઈએ. એક વખત જ્યારે બ્રહ્મા, વિષ્ણું અને શિવજીમાં કોણ શ્રેષ્ઠ એવો વિવાદ થઈ ગયો ત્યારે આ વિવાદને ઉકેલવા માટે બ્રહ્મા, વિષ્ણું તથા તમામ દેવી દેવતાઓ તથા ઋષીઓને પૂછવામાં આવ્યું કે, કોણ સૌથી શ્રેષ્ઠ છે. ઋષિઓએ શોધી કાઢ્યું કે, બધામાં સૌથી શ્રેષ્ઠ શિવજી છે.
બ્રહ્માજીને સારું ન લાગ્યું

બ્રહ્માજીને બાદ કરતા વિષ્ણું અને શિવજી આ વાત સ્વીકારી લીધી. પણ બ્રહ્માજીને આ વાત કોઈ રીતે ગળે ઊતરી નહીં. તેથી બ્રહ્માજી એ શિવનું અપમાન કરી નાંખ્યું અને ગાળ કાઢ લીધી. આમ થવાને કારણ શિવજીને ક્રોધ આવ્યો આ જ ક્રોધમાંથી કાળભૈરવનો જન્મ થયો હતો. મહાદેવનું આ રુપ જોઈને સૌ કોઈ ભયભીત થયા હતા. દેવીદેવતાઓ પણ ડરી ગયા હતા. ગુસ્સામાં મહાદેવે બ્રહ્માજીના પાંચ મુખમાંથી એક કાપીનાંખ્યું. તેથી બ્રહ્માજી ચતુર્મુખ ગણાય છે.
કાળભૈરવને પાપ લાગ્યું

મહાદેને ગુસ્સામાં આવીને બ્રહ્માજીનું માથું કાપી નાંખ્યું તેથી બ્રહ્માજીએ શિવને શ્રાપ આપ્યો હતો પછી બ્રહ્માજીએ આ વાત સ્વીકારી લીધી અને મહાદેવ સામે માફી પણ માગી લધી હતી. પછીથી સમગ્ર પૃથ્વી પર કાળભૈરવ એટલે મહાદેવના સ્વરુપથી પૂજાયા હતા.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2INP2wi
No comments:
Post a Comment