નવી દિલ્હી: યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, અનુભવી બેટ્સમેન અંબાતી રાયડૂ અને ઝડપી બોલર નવદીપ સૈનીને ભારતે 30 મેથી બ્રિટનમાં રમાનારા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે સ્ટેન્ડબાય રાખ્યા છે. આઈસીસીએ સંભવિત ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. જોકે ,બીસીસીઆઈ પાસે આ ત્રણ ઉપરાંત અન્ય કોઈને પસંદ કરવાનો વિકલ્પ પણ હશે, પરંતુ એવું થવાની શક્યતા ઘણી ઓછી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે, ‘આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ, અમારી પાસે ત્રણ સ્ટેન્ડબાય હશે. ઋષભ પંચ અને અંબાતી રાયડુ ક્રમશઃ પહેલો અને બીજો સ્ટેન્ડ બાય હશે, જ્યારે સૈની આ યાદીમાં બોલરના રૂપમાં સામેલ છે.’ ખલીલ અહમદ, આવેશ ખાન અને દીપક ચહર નેટ બોલરોના રૂપમાં ટીમની સાથે જશે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2019ઃ 15 સદસ્યોની ભારતીય ટીમ જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
ટીમ મેનેજમેન્ટ જે જરૂર લાગશે તો તેમને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સૈની પણ એ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે, જે ટીમની સાથે જઈ રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, ‘ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડબાય નથી. બોલરોના મામલે તેમને સામેલ કરવાની શક્યતા હોઈ શકે છે, પરંતુ બેટિંગમાં ઋષભ હશે કે પછી રાયડુ.’
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2019: આ છે ટીમ ઈન્ડિયાની મેચનું લિસ્ટ, જાણો ક્યારે છે પાકિસ્તાન સામે ટક્કર
આ દરમિયાન પૂરી શક્યતા છે કે વિશ્વ કપ જનારી ટીમના ખેલાડીઓને યો-યો ટેસ્ટમાંથી પસાર નહીં થવું પડે, કેમકે આઈપીએલ 12 મે સુધીમાં જ પૂરી થઈ શકશે. અધિકારીએ કહ્યું કે, ‘ખેલાડીઓ વ્યસ્ત ટી20 સત્રમાં રમી રહ્યા છે. આઈપીએલ પૂરી થયા બાદ તેમને આરામનો સમય જોઈએ. એવું નથી કે બે સીરીઝની વચ્ચે ઘણો સમય છે અને ટેસ્ટ કરાવાશે. જો તમે થાકેલા છો તો પરિણામ અલગ હોઈ શકે છે.’
from I Am Gujarat http://bit.ly/2IDM10F
No comments:
Post a Comment