Latest

Wednesday, April 17, 2019

ભૂપેન્દ્રસિંહની મુશ્કેલી વધશે? હાઈકોર્ટે માગી ધોળકાના રિટર્નિંગ ઓફિસરની કોલ ડિટેઈલ્સ

અમદાવાદઃ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2017ની વિધાનસભાની ચૂંટણી માત્ર 327 મતોથી જીત્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારી. જે અંતર્ગત હવે હાઈકોર્ટે ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા સરકારી ફોનની 2017માં ચૂંટણી સમયની કોલ ડિટેઈલ્સ માગી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ નિયમ વિરુદ્ધ મતગણતરીના સ્થળે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કોર્ટમાં એવું પણ સ્વીકાર્યું છે કે મતગણતરી દરમિયાન તેમણે મોબાઈલફોન પર પણ વાત કરી હતી.

કોંગ્રસના ઉમેદવાર અશ્વિન રાઠોડ કે જેઓ ચુડાસમા સામે માત્ર 327 મતથી ચૂંટણી હારી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે મતગણથરી દરમિયાન જાનીને ‘કોઈ વ્યક્તિ’ તરફથી નિર્દેશો આપવામાં આવતા હતા. રાઠોડ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોસ્ટલ બેલેટ મતની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે જેના કારણે તેઓ ચુડાસમા સામે નજીવા માર્જીનથી ચૂંટણી હારી ગયા.

હાઈકોર્ટના જસ્ટિસ ઉપાધ્યાય દ્વારા ગુજરાત સરકારને આરઓ જાનીના મતગણતરી સમયની મોબાઈલ ફોનની માહિતી જમા કરવામાં માટે આદેશ આપ્યો છે. હવે પછીની સુનાવણી 1 મે ના રોજ કરવામાં આવશે.

 



from I Am Gujarat http://bit.ly/2Gs95hC

No comments:

Post a Comment

Pages