દર મહિને વદ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમી કહેવાય

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની આઠમ એટલે કાળ ભૈરવાષ્ટમી, આ વખેત આ તિથિ 26 અને 27 એપ્રિલ દરમિયાન પડે છે. ભારતીય જ્યોતિષ ગણના મુજબ 26 એપ્રિલ શુક્રવારના રોજ બપોર પછી શરુ થનાર આઠમની તિથિ 27 એપ્રિલ સમગ્ર દિવસ દરમિયાન રહેશે. વદ પક્ષની આઠમના દિવસે ભગવાન કાળભૈરવની પૂજાનું વિધાન છે. ભગવાન શિવે તેમને કાશિના દંડનાયક અને કોતવાલ નિયુક્ત કર્યા છે. કાળભૈરવના ચમત્કારનો પરચો મુગલ શાસક ઔંરગઝેમને પણ મળી ચૂક્યો છે અને તે એટલો ડરી ગયો હતો કે પોતાનો જીવ બચાવીને કાશીથી ભાગી છૂટ્યો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કાશી પર ઔરંગઝેબનો હુમલો

ઇતિહાસમાં એવી માહિતી મળે છે કે મુગલ બાદશાહ ઔરંગઝેબ તલવારની ધારે ધર્મ પરિવર્તન કરાવતો અને ઇસ્લામ સિવાય અન્ય ધર્મોના સ્થાનો નાશ કરતો કરતો કાશી આવી ચડ્યો. તેણે કાશી પર હુમલો કરીને અનેક મંદિરોમાં તોડફોડ કરી. પરંતુ જ્યારે ઔરંગઝેબને સૈનિકોએ કાળભૈરવનું મંદિર નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જે આપત્તિ આવી તેનાથી બચવા ઔરંગઝેબ પણ દિલ્હી ભાગી ગયો હતો.
પાગલ થઈ ગયા સૈનિકો

કાળભૈરવનું મંદિર તોડવા માટે જ્યારે ઔરંગઝેબના સૈનિકો બાબા કાળભૈરવના મંદિરે પહોંચ્યા તો અચાનક જ પાગલ કુતરાઓનો એક સમૂહ ક્યાંકથી આવી ગયો અને અને સૈનિકો પર તેણે હુમલો કર્યો. હથિયારોથી લેસ સૈનિકો પણ આ કુતરા સામે લાચાર બની ગયા હતા અને આ કુતરાઓએ જેમને પણ બચકા ભર્યા તે સૈનિકો પણ પાગલ બની ગયા અને પોતાના જ સાથીઓને મારવા લાગ્યા.
જીવ બચાવી ભાગ્યો ઔરંગઝેબ

પોતાના જ સૈનિકોને એકબીજા સાથે લડતા જોઈ અને પાગલ કુતરાઓના ઝુંડને જોઈને ઔરંગઝેબ ખૂબ જ ડરી ગયો. તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એટલું જ નહીં તેણે પોતાના અંગરક્ષકો દ્વારા પોતાના જ સૈનિકોને ફક્ત એટલા માટે મરાવી નાખ્યા કે એક પછી એક પાગલ બનતા સૈનિકોની લાઇન ક્યાંક તેના સુધી ન પહોંચી જાય.
ભૈરવની સેના છે કુતરા

શાસ્ત્રો અનુસાર બાબા ભૈરવની સવારી છે કુતરા, જણાવ્યા મુજબ આ કુતરાઓ જ ભૈરવની સેના છે. જેમણે મંદિરની રક્ષા કરીને ઔરંગઝેબ જેવા ક્રૂર શક્તિશાળી બાદશાહને પણ જીવ બચાવીને ભાગવાની ફરજ પાડી. બાબા ભૈરવનાથનો આ ચમત્કારની વાતો દેશભરમાં ફેલાઈ અને તેમની પૂજા માટે લોકોની ભીડ વધવા લાગી.
આ કારણે કહેવાય છે કાશીના રખેવાળ

કથાઓ અનુસાર કાળભૈરવે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ માટે કાશીમાં રહીને તપ કર્યું હતું. જેથી શિવજીએ તેમને આશિર્વાદ આપતા નગરના કોતવાલ જાહેર કર્યા. જ્યાં કાળભૈરવે તપ કર્યું હતું ત્યાં હાલ એક મંદિર છે.
બધી જ બાધાઓ થાય છે દૂર

માન્યતા છે કે કાશીમાં જ્યોતિર્લિંગ વિશ્વનાથના દર્શન કર્યા બાદ કાળ ભૈરવના દર્શન કરવા ફરજીયાત છે. જો કાળ ભૈરવના દર્શન ન કરવામાં આવે તો જ્યોતિર્લિંગના દર્શનનું ફળ તેમજ કાશીમાં કરેલા પુણ્ય કાર્યનું ફળ મળતું નથી. કાળભૈરવાષ્ટમીના દિવસે કાળા કુતરાને દૂધ પીવડાવવાથી ભગવાન કાળ ભૈરવ પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે. તેમની પૂજાથી જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2PxW8px
No comments:
Post a Comment