ચૈત્ર નવરાત્રિએ બનશે અદભૂત સંયોગ

જગતજનની માના 9 સ્વરૂપોની ઉપાસનાનું પર્વ ચૈત્ર નવરાત્રિ 6 એપ્રિલથી શરૂ થઈ રહી છે. હિન્દુ નવ સંવતની શરૂઆત આ દિવસથી જ થાય છે. અંતિમ નવરાત્રિ એટલે કે 14મી એપ્રિલે છે. આ 9 દિવસોમાં માતાના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરાય છે. પંડિતોનું કહેવું છે કે આ વખતે નવમીમાં રવિ પુષ્ય યોગનો અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. તેના કારણે અષ્ટમી અને નવમીની પૂજા કરવાનું ખૂબ જ ફળદાયક માનવામાં આવી રહ્યું છે.
દરેક કાર્યમાં મળશે સફળતા

પુજારી કન્હૈયા લાલ ઉપાધ્યાયનું કહેવું છે કે આમ તો વર્ષમાં 2 વખત નવરાત્રિ આવે છે, પરંતુ આ બંને નવરાત્રિનું મહત્વ અને પૂજા વિધિ અલગ છે. આ વખતે નવમીમાં રવિ પુષ્ય યોગનો અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. તેમાં પૂજા કરવાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેમનું કહેવું છે કે 6 એપ્રિલે સવારે 6.09 વાગ્યાથી 10.19 વાગ્યા સુધી કળશ યાત્રા કાઢીને ઘટ સ્થાપના કરવી શુભ રહેશે.
મંદિરમાં પૂજા-પાઠના કાર્યક્રમ

નવરાત્રિ દરમિયાન મંદિર કમિટીઓ તરફથી પૂજા પાઠા બાદ અલગ-અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. મંદિર કમિટીના પદાધિકારીઓએ દિલ્હી, મથુરા તથા વૃદાંવનના કલાકારોને આમંત્રિત કર્યા. ઉપરાંત અન્ય મંદિરોમાં પણ ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2I2ckOB
No comments:
Post a Comment