Latest

Wednesday, April 3, 2019

ચૈત્ર નવરાત્રીઃ કળશ સ્થાપન માટેનો શુભ સમય જાણો

ચૈત્ર નવરાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે

ચૈત્ર નવરાત્રીનો આરંભ આ વર્ષે 6 એપ્રિલથી થઈ રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત હોય છે અને બાકીની 2 નવરાત્રીમાં વિધિ સાથે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપન અથવા કળશનું સ્થાપન કર્યા બાદ નવરાત્રીનો શુભારંભ કરવામાં આવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાગ અનુસાર 5 એપ્રિલ 2019ના રોજ શુક્રવારે બપોરે 1 વાગ્યાને 36 મીનિટ શુભ મુહૂર્ત છે જે બીજા દિવસે એટલે કે 6 એપ્રિલ બપોરે 2 વાગ્યાને 28 મીનિટ સુધી રહેશે. પરંતુ નવરાત્રીનો પ્રારંભ 6 એપ્રિલના સૂર્યોદય પછી જ માનવામાં આવશે. આ દિવસે કળશની સ્થાપના કરવી.

કળશ સ્થાપનાની વિધિ

કળશ સ્થાપના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરો. એક રાત્રી પહેલા પૂજાની સામગ્રી એકઠી કરો. સ્નાન બાદ આસન પર લાલ રંગનું વસ્ત્ર પાથરો. વસ્ત્ર પર શ્રીગણેશજીનું સ્મરણ કરતા થોડા ચોખાના દાણા મૂકો. ત્યાર બાદ તેના પર જળથી ભરેલો માટી કે તાંબાનો કળશ સ્થાપિત કરો. કળશ પર કંકુ દ્વારા સ્વસ્તિક અથવા ઓમ બનાવો. કળશમાં ક્યારેય ખાલી જળ ન ભરવું જેથી તેાં સોપારી અને સિક્કો પણ નાંખવો.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2OOT6gh

No comments:

Post a Comment

Pages