નવી દિલ્હી:રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી જેટ એરવેઝની સમસ્યાઓનો અંત નથી. કંપનીએ ગુરુવારની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી એમ એરલાઇન્સનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કંપનીએ પૂર્વ અને ઉત્તરપૂર્વનાં રાજ્યોની ફ્લાઇટ્સ પણ રદ કરી દીધી છે. આ અગાઉ કંપનીએ વિવિધ રૂટ પર અનેક ફ્લાઇટ્સ રદ કરી હતી.
દરમિયાન, લીઝનું ભાડું ન ચૂકવી શકતાં કંપનીનાં વધુ 10વિમાનોને ભૂમિગત કરવામાં આવ્યાં હતાં. આ સાથે કુલ 79 વિમાનો ભૂમિગત કરવામાં આવ્યાં છે. આમ, કંપનીનાં 119 વિમાનોના કાફલામાંથી ત્રણ ચતુર્થાંશ વિમાનોને ભૂમિગત કરવામાં આવ્યાં છે. બીએસઇને કરેલા ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, “લીઝ એગ્રીમેન્ટ હેઠળ લેસર્સને બાકી લેણાં ન ચૂકવી શકાતાં વધુ 10વિમાનો ભૂમિગત કરવામાં આવ્યાં છે. આ અંગે કંપની ડીજીસીએના સમયાંતરે જરૂરી અપડેટ પૂરી પાડતી રહી છે.”
દરમિયાન, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે લોન મેળવવા તેમનો માંદી એરલાઇનમાં તેમનો 26 ટકા હિસ્સો પંજાબ નેશનલ બેન્ક પાસે ગીરવે મૂક્યો છે. ગયા મહિને ગોયલ અને તેમનાં પત્ની અનિતા ગોયલે ડેટ રિઝોલ્યુશન પ્લાનના ભાગરૂપે બોર્ડમાંથી રાજીનામાં આપ્યાં હતા. ગુરુવારે જેટ એરવેઝનો શેર 1.14 ટકા ઘટીને ₹260.40એ બંધ રહ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2P4BSve
No comments:
Post a Comment