નોબેલ પ્રાઈઝ વિજેતા પણ ઉપવાસમાં માને છે

વર્ષ 2016માં મેડિસિનના ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓહસુમીએ ઓટોફાગી (autophagy) નામની એક થિયરી વિકસાવી હતી. આ સિવાય આ વૈજ્ઞાનિકે તેમની થિયરીમાં ઉપવાસ કરવાના વિવિધ ફાયદા પણ જણાવ્યા છે. જેમાં કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગ અંગેની પણ વાત કરવામાં આવી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઉપવાસ કરવાથી કેન્સર, ડાયાબિટિસ જેવા રોગ દૂર રહે છે

આ વૈજ્ઞાનિકના રિસર્સ અનુસાર ઉપવાસની પ્રક્રિયા વ્યક્તિના લાંબા આયુષ્યની સાથે જોડાયેલી છે, જે વ્યક્તિ ઉપવાસ કરે છે તે પણ આ વૈજ્ઞાનિકે શોધેલી ઓટોફાગી (autophagy) સાથે જોડાયેલ છે. ઉપવાસ કરવાથી શરીરનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, સોજામાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે અને મગજનો વિકાસ થાય છે. આ સિવાય આ થિયરીમાં એવું પણ જાણવા મળે છે કે ઉપવાસ કરવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોનો ઇલાજ પણ શક્ય છે!
જાણો ઉપવાસ કરવાના વિવિધ ફાયદા

ઉપવાસ કરવાથી શ્વસન ક્રિયા સરળ થઈ જાય છે અને હાર્ટની સાથે જોડાયેલી બીમારીઓને રાહત મળે છે. ઉપવાસ દરમિયાન શરીરની ઈન્દ્રિયો ઝડપી ગતિએ કામ કરવા લાગે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. ઉપવાસ કરવાથી શરીરનું રક્ત શુધ્ધ બને છે અને યાદશક્તિમાં વધારો થાય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2Vw1fbL
No comments:
Post a Comment