Latest

Monday, April 15, 2019

શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાને હવે આ શેરમાં ખાસ રસ નથી રહ્યો!

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના પસંદગીના શેર ટાઈટન કંપનીમાં પોતાની ભાગીદારી સતત બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડી છે. માર્ચના અંત સુધી કંપનીમાં ઝુનઝુનવાલાની ભાગીદારી 5.72 ટકા હતી. તેમની પાસે આ કંપનીના 5,07,75,645 શેર હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ડિસેમ્બર ક્વાર્ટરના અંતમાં આ ભાગીદારી 5.78 ટકા હતી. તેમની પાસે આ કંપનીના 5,13,25,645 શેર હતા. જોકે, તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનું રોકાણ આ કંપનીમાં થોડું વધ્યું છે. તેમની ભાગીદારી 1.30 ટકાથી વધીને 1.32 ટકા થઈ ગઈ છે.

ઝુનઝુનવાલાએ વર્ષ 2002માં પહેલી વખત આ શેરમાં રોકાણ કર્યું હતું. ત્યારેથી આ શેરની વેલ્યુ 300 ગણી વધી ગઈ છે. આ દરમિયાન ટાઈટન કંપનીમાં ઝુનઝુનવાલા દંપતીની કુલ ભાગીદારી 7થી 10 ટકાના આસપાસ રહી છે.

આ શેરનું વેલ્યુએશ ઘણું વધારે માનવામાં આવી રહ્યું છે. 12 એપ્રિલે આ શેરનો P/E (પ્રાઈઝ ટુ અર્નિંગ) રેશિયો 71.50 હતા, જે તેના પાંચ વર્ષના 51.90ની સરેરાશથી ઘણો વધારે છે. કોઈ શેરનો P/E રેશિયો તેની શેરની વર્તમાન કિંમત અને પ્રતિ શેર આવકની વચ્ચે સંબંધ દર્શાવે છે.

જોકે, મોટાભાગના વિશ્લેષકો હજુ પણ આ શેરના સારા પ્રદર્શન માટે આશાવાદી છે. 30માંથી 17 વિશ્લેષકોને તેના સારા પ્રદર્શનની આશા છે. નવ વિશ્લેષકોએ તેને ખરીદવાની સલાહ આપી છે. સોમવારે બપોરે 1.30 કલાકે આ શેર 0.46 ટકાની નબળાઈ સાથે 1,092 રૂપિયાની કિંમત પર વેપાર કરી રહ્યો હતો.

ICIC ડાયરેક્ટરે આ શેર માટે 1,290 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. તેમણે કહ્યું કે, ટાઈટને મુશ્કેલ સમયમાં પણ પોતાનો બિઝનેસ જાળવી રાખ્યો અને માર્કેટમાં ભાગીદારીમાં વધારો નોંધાવ્યો. બ્રોકરેજએ કહ્યું કે, ‘નક્કર બેલેન્સ શીટ અને એસેટ લાઈટ વિતરણ મોડલને પગલે આ શેરએ પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.’

બ્રોકરેજે કહ્યું કે, ‘ટાઈટનનો જ્વેલરી પોર્ટફોલિયો ઘણો સારો છે. નવા લોન્ચની સાથે એ વધારે સારો બનશે. તે કારણે તે ઈન્ડસ્ટ્રી કરતા વધારે સારું રેવન્યુ ગ્રોથ મેળવી શકશે. અમને આશા છે કે, તે રેવન્યુ અને કમાણીમાં ક્રમશઃ 21 અને 27 ટકાના દરે ગ્રોથ મેળવશે.’

પ્રભુદાસ લીલાધરે આ શેરને 1,195 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝ સાથે ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ મુજબ, લગ્નોની સીઝનને પગલે તેનો જ્વેલરી બિઝનેસ 20 ટકા સુધી વધી શકે છે. 35 નવા સ્ટોર્સ દ્વારા પણ વેડિંગ જ્વેલરી બિઝનેસ મજબૂત થશે. તેના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UBx4DR

No comments:

Post a Comment

Pages