Latest

Monday, April 15, 2019

જેટ એરવેઝના પાઈલોટ્સે SBIને 1,500 કરોડ રૂપિયાના રોકાણ માટે અપીલ કરી

જેટ એરવેઝના પાઈલોટ્સે રોકાણ માટે SBIને અપીલ કરી

જેટ એરવેઝ પાઈલોટ્સ બોડી ધ નેશનલ એવિએટર્સ ગિલ્ડે સોમવારના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને અપીલ કરી કે તેઓ 1,500 કરોડ રૂપિયા છૂટા કરે. આ સાથે જ દેશના વડાપ્રધાન મોદીને પણ 20,000 નોકરીઓ બચાવવા માટેની અપીલ કરી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પીએમ મોદીને 20,000 નોકરી બચાવવા કહ્યું

નેશનલ એવિએટર્સ ગિલ્ડના વાઈસ પ્રેસિડેન્ટ અદિમ વાલિયાનીએ એરલાઈનના મુખ્યમથક પર રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે SBIને અમારી એરલાઈનને મદદ કરવા માટે 1,500 કરોડ રૂપિયાનું ફંડ આપવાની અપીલ કરીએ છીએ. સાથે જ અમે વડાપ્રધાન મોદીને પણ અપીલ કરીએ છીએ કે તેઓ એરલાઈનની એરલાઈનની 20 હજાર નોકરીઓ બચાવી લે.

છેલ્લાં ઘણાં મહિનાથી પગાર મળ્યો નથી

આ એરલાઈનના પાઈલોટ્સ સહિત એન્જિનિયર્સ અને સિનિયર સ્ટાફને છેલ્લો પગાર ડિસેમ્બર 2018માં મળ્યો હતો. આ સિવાય માર્ચ મહિનામાં એરલાઈનના અન્ય કેટેગરીના કર્મચારીઓને પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલ જેટ એરવેઝ પાસે માત્ર 6થી 7 વિમાનો કાર્યરત છે. આર્થિક સંકટ સામે લડી રહેલ જેટ એરવેઝ માટે ગત મહિને જ ઋણ-પુનર્ગઠન હેઠળ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Girjkt

No comments:

Post a Comment

Pages