Latest

Thursday, April 18, 2019

હનુમાન જયંતીઃ જાણો, કઈ રીતે પૂજાવિધિ કરીને દાદાના આશિર્વાદ મેળવશો

બજરંગબલીની જન્મ જયંતી

હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનો પર્વ ઘણો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તજન પોતાના આરાધ્ય દેવ હનુમાનજી માટે ઉપવાસ પણ રાખે છે. પવનપુત્ર હનુમાનને ભગવાન શિવના 11 અવતાર માનવામાં આવે છે. હનુમાનજીનો જન્મ ચૈદ્ર માસના શુક્લમાં પૂર્ણિમાના દિવસે થયો હતો. ભક્તોનું મંગળ કરવા માટે પ્રભુ શ્રીરામના ભક્ત હનુમાનજી ધરતી પર અવતરિત થયા હતા. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીના પૂજાપાઠ કરવાથી શત્રુઓ પર વિજય મળશે અને મનોકામના થશે પૂર્ણ..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ રીતે ઉજવો હનુમાન જયંતી

હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, સાથે જ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. આ દિવસે ભક્તજનો મંદિરમાં પોતાના આરાધ્ય દેવના દર્શન કરે અને તેમના આશિર્વાદ લેવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા માટે તેમને જનોઈ પણ પહેરાવવામાં આવે છે અને તેમની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીનું વરખ પણ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન રામની લાંબી ઉંમર માટે હનુમાનજી પોતાના શરીર પર સિંદૂર લગાવતા હતા અને આ જ કારણે તેમને ભક્તો સિંદૂર લગાવે છે. સંધ્યા સમયે દક્ષિણ મુખી હનુમાન મૂર્તિની સામે શુદ્ધ થઈને હનુમાનજીના ચમત્કારી મંત્રોનો જાપ કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય છે. હનુમાન જયંતી પર હનુમાન ચાલિસા અને રામચરિતમાનસ સાથે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ, જેથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

ધરતી પર સશરીર છે બજરંગબલી

રામ નામની મહિમાનું વર્ણન અને તેમના કામ માટે હનુમાનજી આજે પણ પૃથ્વી પર સશરીર બિરાજમાન છે, આ વાતનું પ્રમાણ મહાભારતમાં મળે છે. હનુમાનજી કળયુગના અંત સુધી ધર્મની રક્ષા માટે પૃથ્વી પર રહેશે. બજરંગબલી ચિરાયુ છે, ભગવાન રામે તેમને વરદાન આપ્યું છે. કહેવાય છે કે, ધરતી પર જ્યાં પણ રામકથાનું આયોજન થાય છે, ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરુપમાં હાજર હોય છે માટે રામજીની પૂજામાં હનુમાનજીની પૂજા જરુર કરવામાં આવે છે.

હનુમાનજીની જન્મ કથા

સમુદ્રમંથન પછી ભગવાન શિવે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરુપને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે તેમને સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને અસુરોમાં દેખાયું હતું. તેમની ઈચ્છાનું પાલન કરીને ભગવાન વિષ્ણુએ મોહિની રુપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુનું આકર્ષક રૂપ જોઈને શિવજી કામતુર થઈ ગયા અને તેમણે વીર્યપાત કરી નાખ્યું. પવનદેવે શિવજીના વીર્યને વાનર રાજા કેસરીના પત્ની અંજનાના ગર્ભમાં પ્રવિષ્ટ કરાવ્યા. આ રીતે અંજનાના ગર્ભથી વાનર રૂપ હનુમાનજીનો જન્મ થયો. તેમને શિવજીનું 11મું સ્વરુપ રૂદ્ર અવતાર માનવામાં આવે છે.



from I Am Gujarat http://bit.ly/2V5B66N

No comments:

Post a Comment

Pages