નવી દિલ્હી: પી-નોટ્સ મારફતે દેશના મૂડીબજારમાં રોકાણ માર્ચના અંતે વધીને ₹78,110 કરોડ થયું હતું. સેબીએ આપેલા આંકડા અનુસાર પી-નોટ્સ મારફતે ભારતીય ઇક્વિટી માર્કેટ, ડેટ માર્કેટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મળીને કુલ ₹78,110 કરોડનું રોકાણ થયું હતું, જે ફેબ્રુઆરીના અંતે ₹73,428 કરોડ હતું.
માર્ચમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ મોટા પાયે ભારતીય બજારમાં નાણાં ઠાલવ્યાં હતાં. FPIએ ફેબ્રુઆરીમાં ₹13,500 કરોડ ઠાલવ્યા હતા, જ્યારે
માર્ચમાં ₹32,000 કરોડ ઠાલવ્યા હતા.
પી-નોટ્સ મારફતે માર્ચ સુધીમાં થયેલા કુલ રોકાણ પૈકી ₹56,288 કરોડનું રોકાણ ઇક્વિટી માર્કેટમાં થયું હતું, જ્યારે ₹20,999 કરોડનું રોકાણ ડેટ માર્કેટમાં અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ₹119 કરોડનું રોકાણ થયું હતું. ઇમર્જિંગ માર્કેટમાં હાલ વિદેશી રોકાણકારોનો નાણાપ્રવાહ ખાસ્સો વધી ગયો છે અને તેમાં પણ ભારતીય માર્કેટમાં તેમાં વિશેષ વધારો થયો છે. તેને કારણે નાણાકીય તરલતા ખાસ્સી વધી ગઈ છે. વળી, વિકસિત દેશોમાં નરમાઈ છે, જેને કારણે પણ ભારત જેવા દેશોમાં નાણાપ્રવાહ વધ્યો છે.
from I Am Gujarat http://bit.ly/2KMTXzG
No comments:
Post a Comment