Latest

Wednesday, April 3, 2019

ભારતની આ એક ચાલને કારણે પાકિસ્તાનને થશે અબજો રૂપિયાનું નુકસાન

પાકિસ્તાનને થશે મોટું નુકસાન?

પાકિસ્તાની મૂળની સંસ્થા જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીએ કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને 40 જવાનનો ભોગ લીધા પછી ભારતે પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક અને કૂટનીતિ સ્તરે ભારતે જે ચાલ ચાલી છે તેના કારણે પાકિસ્તાન ચેક મેઈટ થઈ ગયું છે. ભારતની એક ચાલને કારણે પાકિસ્તાનને 10 અબજ ડોલર એટલે કે 68000 કરોડનું નુકસાન થવાની શક્યતા છે. ભારતે તેને ઘેરી લીધું છે એ વાત પાકિસ્તાને પણ સ્વીકારી છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

10 અબજ ડોલરનું નુકસાનઃ

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહંમદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતની લોબિંગથી પાકિસ્તાનને FATF (ફાયનાન્શિયલ એક્શન ટેકન ફોર્સ) દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે. જો આવું થાય તો પાકિસ્તાનને 10 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે.કુરેશીએ કહ્યું કે વિદેશ વિભાગ ગણતરી કરી રહ્યો છે કે પાકિસ્તાનને FATFમાં બ્લેક લિસ્ટ કરાયું તો કેટલું નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારત આ માટે લોબિંગ કરી રહ્યું છે.

ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાનઃ

વાત એવી છે કે પેરિસના FATFએ ગયા વર્ષે જૂનમાં પાકિસ્તાનને નિગરાની વાળા દેશોના લિસ્ટમાં નાંખી દીધું હતું. આ લિસ્ટમાં એ દેશોનું નામ આવે છે જે મની લોન્ડરિંગ અને આતંકવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવે છે. FATFએ પાકિસ્તાનને તેમના દેશમાં ચાલતા આતંકવાદી સંગઠનો સામે પગલા ભરવા જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાયુંઃ

ભારત સતત પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલા જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠન પર અંકુશ લગાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાબંધી કરી રહ્યું છે. દુનિયાના બધા જ મોટા દેશ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાનું દબાણ ઊભું કરી રહ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2YLF3wj

No comments:

Post a Comment

Pages