Latest

Wednesday, April 24, 2019

અમદાવાદઃ ગરમીને કારણે બેભાન થયો મોર, રેસ્ક્યૂ કરી સારવાર હેઠળ ખસેડાયો

ગરમીને કારણે મોરની હાલત બગડી

હિતેષ મોરી,અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. માનવીની સાથે પશુ પંખીની હાલત પણ ખરાબ થઈ રહી છે. મંગળવારે બોડકદેવ વિસ્તારમાંથી એક મોરનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. જે ભારે ગરમીને અશક્ત અને ઉડી શકતો નહોતો. હાલમાં તેને વનવિભાગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બોડકદેવ વિસ્તારમાંથી મોર ગંભીર હાલતમાં મળ્યો

આ અંગે એનિમલ લાઈફ કેર સંસ્થાના પ્રમુખ વિજય ડાભીએ જણાવ્યું કે, ‘અમને કોલ મળ્યો હતો કે બોડકદેવ વિસ્તારની પારીજાત સોસાયટીમાં એક મોરને પાંખના ભાગે ઈજા પહોંચી છે અને ઉડી શકતો નથી. બિલાડી પણ તેને હેરાન કરી રહી છે. જાણ થતા જ અમારી ટીમ તુરંત પારીજાત સોસાયટી પહોંચી ગઈ. જ્યાં મોરનું રેસક્યૂ કરવામાં આવ્યું. ગરમીને કારણે તેની હાલત ખૂબ ગંભીર હતી. તેમજ તેની એક પાંખ ઈજાગ્રસ્ત હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું. હાલ મોરને વધુ સારવાર અર્થે વનવિભાગની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘરની બહાર પાણીના કુંડા ભરી રાખો

ડાભીએ વધુમાં જણાવ્યું કે, ‘હાલ શહેરમાં ગરમી વધુ હોવાથી પક્ષીઓને ડિહાઈડ્રેશન થવાની શક્યતા વધી જાય છે. જેના કારણે તેમનામાં અશક્તિ આવી શકે છે. એટલા માટે શક્ય હોય તો શહેરીજનોએ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણીના કુંડા ભરી રાખવા જોઈએ. શક્ય હોય તો તેમાં ઓઆરએસનો પાવડર નાંખવો જોઈએ.’

જુઓ વિડીયો



from Page Array – I Am Gujarat http://bit.ly/2Zxoo00

No comments:

Post a Comment

Pages