મની પ્લાન્ટ લગાવતા આટલું ધ્યાન રાખો

ઘરને સુંદર રાખવા માટે તેમ બાલ્કનીમાં અનેક પ્રકારના છોડ ઉગાડતા હશો. વાસ્તુશાસ્ત્રની માનીએ તો એક એક છોડ એવો છે કે જે ઘરની સુંદરતા વધારે છે સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવે છે. તે છોડનું નામ છે ‘મની પ્લાન્ટ’. આ છોડ માટે એવું પણ કહેવામાં આવે છે કે તેને ક્યારેય પણ ખરીદીને ઘરમાં ન લગાવવો જોઈએ. તો આજે અમે કેટલાક ઊપાય જણાવીશું જેની મદદથી તમે તમારું નસીબ ચમકાવી શકો છો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો

મની પ્લાન્ટને હંમેશા સાઉથ ઈસ્ટ(દક્ષિણ-પૂર્વ) ઝોનમાં રાખવો. હિંદુ ધર્મ અનુસાર સાઉથ-ઈસ્ટ દિશા ભગવાન ગણપતિની માનવામાં આવે છે. મની પ્લાન્ટને ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
મની પ્લાન્ટ બુધવારે ઘરમાં લાવો

મની પ્લાન્ટને બુધવારના દિવસે રેવતી નક્ષત્રમાં ઘરે લાવવો. કેમ કે આ દિવસ વ્યક્તિને શુભ ફળ આપે છે.
સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

ભૂલથી પણ મની પ્લાન્ટને નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) દિશામાં ન રાખવો. એવું કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. ઘરના સભ્યો બિમાર પડી શકે છે.
પૈસાની તંગી દૂર કરવા

પૈસાની તંગી દૂર કરવા મની પ્લાન્ટ સાઉથ-ઈસ્ટ દિશામાં લગાવવા જોઈએ. છોડને જ્યારે પાણી આપો ત્યારે એક ચમચી દૂધ મિક્સ કરો.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – I Am Gujarat http://bit.ly/2GsGuJ4
No comments:
Post a Comment