દરેક લોકો માટે નથી બજરંગ બાણના પાઠ

સામાન્ય રીતે રામભક્ત હનુમાનજીના પાઠ કરવા માટે હનુમાન ચાલીસાને ઉત્તમ માનવામાં આવે છે. જોકે, આ સાથે જ બજરંગ બાણના પાઠ પણ હનુમાનજી માટે કરવામાં આવે છે. જોકે, એવું કહેવામાં આવે છે કે બજરંગ બાણના પાઠ દરેક લોકો નથી કરી શકતા. જ્યારે વ્યક્તિ ઘોર સંકટમાં હોય ત્યારે જ આ પાઠનું પઠન કરવું જોઈએ. નાની-મોટી સમસ્યા હોય ત્યારે આ પાઠનો પ્રયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ખાસ મુશ્કેલીમાં જ કરો પાઠ

જો કોઈ ખાસ મુશ્કેલી હોય જેમાંથી તમે બહાર ન નીકળી શકતાં હોવ તો જ આ પાઠ કરવા જોઈએ. હનુમાન જયંતી અથવા તો મંગળવાર કે શનિવારના દિવસે આ પાઠ થઈ શકે છે. ઓમ હનુમંતે નમઃ નો જાપ હનુમાનજીની છબિ સામે કરવો જોઈએ. આ પાઠ ઘાસના આસન પર જ કરવા જોઈએ.
પસંદ કરો શુદ્ધ અને શાંત જગ્યા

જે જગ્યાએ પૂજા કરવા ઈચ્છો છો તે જગ્યા શુદ્ધ અને એકદમ શાંત હોવી જરુરી છે. જો પૂજા કરવા માટે હનુમાન મંદિરનું સ્થાન એકાંત અને નિર્જન હોય તો અતિ ઉત્તમ. જ્યારે તમે જપ કરતાં હોવ ત્યારે પ્રારંભમાં જ એવો સંકલ્પ લેવો જોઈએ કે તમારુ કાર્ય જ્યારે પણ સિદ્ધ થશે ત્યારે હનુમાનજીની સેવા નિયમિત રીતે કરશો.
એકાગ્રચિત્તે ધરો બજરંગબલીનું ધ્યાન

હવે જ્યારે શુદ્ધ ઉચ્ચારણથી હનુમાનજીની છબિ પર એકાગ્રચિત્તે ધ્યાન ધરીને બજરંગ બાણના પાઠનો પ્રારંભ કરો. ‘શ્રી રામ’થી લઈને ‘સિદ્ધ કરૈ હનુમાન’ સુધી એક જ બેઠકમાં બજરંગ બાણના પાઠની એક માળા જપવાની રહેશે.
જો પાઠ નિયમિત ન થાય તો…

જે ઘરમાં બજરંગ બાણના પાઠ નિયમિત રીતે થાય છે. તે ઘરમાં ભૂત-પ્રેતનો પ્રકોપ અને અસાધ્ય રીતે શારીરિક બીમારીઓ ક્યારેય પણ નથી આવતી. જે વ્યક્તિ બજરંગ બાણના નિયમિત રીતે પાઠ ન કરી શકે તેમના માટે અઠવાડિયામાં મંગળવાર અથવા તો શનિવારે જાપ કરે તો અતિ ઉત્તમ રહેશે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – I Am Gujarat http://bit.ly/2IEvNVe
No comments:
Post a Comment