Latest

Wednesday, April 24, 2019

મહાભારત સિરિયલમાં ‘ચીરહરણ’ના સીનમાં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું હતું કે…

મહાભારત સિરિયલના પાત્રો આજે પણ લોકોને યાદ છે

દૂરદર્શન પર આવેલી મહાભારત સિરિયલના તમામ પાત્રો આજે પણ લોકોને યાદ છે. મહાભારત સિરિયલમાં ‘ચીરહરણ’નો સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો હતો તે અંગે આ સિરિયલના ડિરેક્ટર રવિ ચોપરાએ જણાવ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘ચીરહરણ’ના સીનમાં એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું હતું કે…

મહાભારત સિરિયલમાં દ્રૌપદીનું પાત્ર એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ ભજવ્યું હતું. મહાભારત સિરિયલમાં ‘ચીરહરણ’ના સીન વિશે વાત કરતા સિરિયલના ડિરેક્ટર રવિ ચોપરાએ જણાવ્યું કે ‘ચીરહરણ’ના શૂટિંગ બાદ એક્ટ્રેસ રૂપા ગાંગુલી તેના સંવાદો બોલતા-બોલતા રડવા લાગી હતી. એક્ટ્રેસ રૂપા ગાંગુલી દ્રૌપદીના પાત્રમાં એટલી હદે ડૂબી ગઈ હતી કે રડવા લાગી હતી અને તેને શાંત પાડવામાં અડધા કલાકનો સમય લાગ્યો હતો.

આ રીતે ‘ચીરહરણ’નો સીન શૂટ કરવામાં આવ્યો હતો

મહાભારત સિરિયલમાં ‘ચીરહરણ’ના સીન વિશે વાત કરતા બીઆર ચોપરાએ જણાવ્યું કે અમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે આ સીન કોઈપણ રીતે અશ્લીલ લાગે નહીં. જ્યારે રવિ ચોપરાએ આ સિરિયલના મેકિંગ વિડીયોમાં જણાવ્યું હતું કે ‘ચીરહરણ’નો સીન શૂટ કરતા પહેલા એક્ટ્રેસ રૂપા ગાંગુલીને બોલાવીને આખો સીન સમજાવવામાં આવ્યો હતો.

સિરિયલમાં દ્રૌપદીએ 250 મીટર લાંબી સાડી પહેરી હતી!

રવિ ચોપરાએ ‘ચીરહરણ’ના સીન વિશે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે મહાભારત સિરિયલમાં દ્રૌપદીનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ રૂપા ગાંગુલીને સમજાવવામાં આવ્યું હતું કે એક સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે અને તે વખતે તેના મનમાં કેવા વિચારો ચાલતા હશે અને કેવો અનુભવ થતો હશે તે વિશે વિચારીને આ સીન ભજવવાનો છે. રવિ ચોપરાના કહેવા અનુસાર દ્રૌપદીના ‘ચીરહરણ’નો સીન એક જ સીકવન્સમાં શૂટ કરવામાં આવ્યો હતો. દ્રૌપદીએ જે સાડી પહેરી હતી તે 250 મીટર લાંબી હતી.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2XFlbJQ

No comments:

Post a Comment

Pages