Latest

Tuesday, April 23, 2019

શાસ્ત્રો અનુસાર પવિત્ર ગંગાની આ વાત ભાગ્યે જ કોઈને ખબર હશે

આ હકીકત ભાગ્યે જ ખબર હશે

હરિદ્વારમાંથી વહેતી ગંગા પોતાના રુટમાં અનેક શહેરોને પવિત્ર કરતી જાય છે. ગંગોત્રી ગંગા નામથી હિન્દુ શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ છે. પણ આજે પવિત્ર ગંગા નદી વિશેની કેટલીક એવી વાત અહીં રજૂ કરવામાં આવી છે, જે ભાગ્યે જ કોઈને ખબર હશે. પણ પુરાણોમાં તેનો ઉલ્લેખ છે અને યુગોથી તે મુદ્દાને ધ્યાને લેવામાં આવે છે. જેમ કે ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગંગાના પ્રવાહમાં વહેતું પાણી ક્યારેય બગડતું નથી અને ગરમ પણ થતું નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ભાગીરથી ગંગા

ભગીરથ રાજા ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા. જ્યારે તેનું ધરતી પર અવતરણ થયું ત્યારે તેનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. તેથી શિવજીએ પોતાની જટામાં તેમને ફરી સમાવી લીધા હતા. જેમ ગંગા વગર ગંગા ઘાટ વ્યર્થ છે તેમ પુરાણો અનુસાર ગંગાના પાણી વગર જન્મ અને મૃત્યું બંને અધૂરા માનવામાં આવે છે. આ ઉપરાંત માનવીના સંસ્કાર ગંગા વગર પણ અધૂરા છે. ગંગાજળથી સંસ્કાર આપવામાં આવે છે. મૃત્યું સમયે પણ ગંગાજળ પીવડાવવામાં આવે તો તેનો મોક્ષ થઈ જાય છે.

સતત વહેતો પ્રવાહ

ગંગાનો પ્રવાહ સતત વહેતો રહે છે. પણ જ્યારે આરતી શરુ થાય છે ત્યારે પ્રવાહ થોડા સમય માટે ધીમો પડે છે. આરતી પૂરી થતા ફરી તે વહેવા લાગે છે. ગંગાઘાટ પર પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જ્યારે ગંગાનું ધરતી પર અવતરણ થયું ત્યારે 12 પ્રવાહમાં તે વિભાજીત હતી. પણ હાલમાં માત્ર બે પ્રવાહમાં તે વહે છે. અલકનંદા અને મંદાકિની તેનું નામ છે.

બદ્રીનાથ કેદારનાથ

બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરતી વખતે આ પ્રવાહ જોવા મળે છે. અલકનંદા પાસે બદ્રીનાથ ધામ આવેલું છે. જેને વિષ્ણું ભગવાનનું આઠમું વૈકુંઠ કહેવામાં આવે છે. ચારધામમાં તેનો પણ ઉલ્લેખ છે. તેથી અહીં દર્શન કરવા ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

પાણી ખૂબ જ ઠંડુ રહે છે

ગંગાનું પાણી છેક રુદ્રપ્રયાગથી થઈને વહે છે, જ્યારે કેદારઘાટી પરથી પસાર થાય છે ત્યારે તેનો વેગ વધી જાય છે એવી પણ માન્યતા છે. હરિદ્વાર કે વારાણસી બંને જગ્યાએ ગમે ત્યારે જાવ ગંગાનું પાણી ખૂબ જ ઠંડું રહે છે. સૂર્ય પ્રકાશની તેના પર કોઈ ખાસ અસર થતી નથી. શિયાળામાં હરિદ્વારમાં પ્રવાહમાં બરફની પાટ પણ તરતી જોવા મળે છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IBqmaw

No comments:

Post a Comment

Pages