ઉનાળામાં છોડને મૂરઝાતા બચાવવા શું કરવું?

ઉનાળાની ગરમીની અસર છોડ પર પણ પડે છે. સામાન્ય રીતે આ સીઝનમાં છોડને પાણી આપવા છતાંય છોડ મૂરઝાઈ જાય છે અથવા તો સૂકાઈને પાંદડા ખરી પડે છે. જો તમે ઘરમાં માવજતથી વાવેલા છોડની આવી હાલત જોઈને જીવ બળતો હોય તો આજે અમે તમને એક એવા જુગાડ વિષે જણાવવા જઈ રહ્યા છે જે તમારા છોડને ઉનાળામાં પણ મૂરઝાતા બચાવી લેશે. આ માટે તમારે ખાસ કશું જ કરવાનું નથી.
બેસ્ટ કેમેરાવાળો બજેટ ફોન લેવો છે? આ ફોન રહેશે તમારા માટે બેસ્ટ
પાણીની બોટલનો ઉપાયઃ

તમારા કૂંડામા છોડના મૂળિયાથી 2-3 ઈંચ દૂર એક ખાડો કરો. કૂંડાની સપાટીથી બે ત્રણ ઈંચ ઊપર સુધી માટી રહે તે રીતે ખાડો કરો.
પાણીની બોટલમાં કાણા પાડોઃ

હવે એક નાની પ્લાસ્ટિકની બોટલ લો. તેમાં મોટા સોયાથી બે કે ત્રણ જેટલા કાણા પાડો, વધારે નહિ. આ બોટલને કૂંડામાં જે ખાડો ખોદ્યો છે તેમાં ગોઠવી દો. ગોઠવતી વખતે કાણા કૂંડાના મૂળિયા તરફ રહે એ ધ્યાન રાખો. બોટલનું મુખ ખુલ્લુ રાખીને આસપાસના વિસ્તારમાં માટી નાંખી કવર કરી દો.
ઉનાળામાં સૂકાશે નહિ છોડઃ

આટલું કર્યા બાદ બોટલના ઢાંકણામાંથી પાણી રેડી આખી બોટલ પાણીથી ભરી દો. આમ કરવાથી ઉનાળામાં પણ છોડને મૂળિયા સુધી પાણી મળતુ રહેશે જેથી તમારો છોડ સૂકાશે નહિ. આ ટ્રિકથી ઉનાળામાં વારંવાર છોડને પાણી આપવાની જરૂર પણ નહિ પડે અને છોડ સૂકાશે પણ નહિ.
તસવીર સૌજન્યઃ હોમ ગાર્ડન, યુટ્યુબ
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Vrh7jf
No comments:
Post a Comment