ચંબા જિલ્લામાં શિવજીનું ધામઃ

ભોળાનાથની વાત જ કંઈ ઓર છે. તે કોઈના પર પ્રસન્ન થાય તો સાક્ષાત ભક્તને દર્શન આપે છે. ધરતી પર તેમના અનેક ધામ છે, તેમાંથી એક છે મણિમહેશ. આ ચંબા જિલ્લામાં આવેલું છે. આ જગ્યાને ચંબા કૈલાશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
કેમ પડ્યું મણિમહેશ નામ?

આ જગ્યાનું નામ મણિમહેશ કેમ પડ્યું છે તેની પાછળ વિશેષ કારણ છૂપાયેલું છે. વિદ્વાનોના જણાવ્યા અનુસાર પર્વતના શિખર પર શિવજી શેષનાગના મણિસ્વરૂપે બિરાજમાન છે. તે આ જ રૂપમાં ભક્તોને દેખાય છે. આ ઉપરાંત આ શબ્દનો અર્થ મહેશના મુગટમાં મણિ જેવો પણ થાય છે.
વાયકાઃ

એવું કહેવાય છે કે શિવ-પાર્વતીએ સાથે રહેવા માટે મણિમહેશ પર્વતની રચના કરી હતી. આ જગ્યાએ આજે પણ શિવજી શિવલિંગના સ્વરૂપે હાજરાહાજૂર છે. માતા પાર્વતીને અહીં ગિરિજાના રૂપમાં પૂજવામાં આવે છે.
સૂર્યની કિરણોથી બદલાય છે રંગઃ

આ પર્વત પર શિવજી સાંજે અને રાત્રના મધ્યકાળમાં દર્શન આપે છે. સૂર્યાસ્ત સમયે જ્યારે સૂર્યના કિરણ પર્વતના શિખર પર પડે ત્યારે આખું દૃશ્ય સ્વર્ણિમ થઈ જાય છે. વાતાવરણ સાફ રહે તો ભક્ત તેની ચોટી પર બિરાજમાન શિવજીને જોઈ શકે છે.
ભાગ્યશાળીને જ દેખાય છે શિખરઃ

ઘણા લોકો માને છે કે આ પર્વતનું શિખર અદૃશ્ય છે. તે હંમેશા વાદળ અને બરફથી ઢંકાયેલું રહે છે. તેની ચોટી ફક્ત એ જ વ્યક્તિને દેખાય છે જે સંપૂર્ણરીતે પાપમુક્ત હોય અને સાચી શ્રદ્ધાથી ભોળેભંડારીને યાદ કરી રહ્યા હોય.
ઊંચાઈ માપી નથી શકાઈઃ

આ પર્વતની કેટલી ઊંચાઈ છે તે માપી નથી શકાઈ. અત્યાર સુધી કોઈપણ તેની જાણકારી નથી મેળવી શક્યું. એક અંદાજ પ્રમાણે તેની ઊંચાઈ 18,564 ફૂટ છે.
ચડવું અશક્યઃ

કૈલાશની જેમ મણિમહેશ પર્વત પર ચડવું પણ અશક્ય છે. અહીં જે વ્યક્તિ ચડવાની કોશિશ કરે તેને અદૃશ્ય શક્તિ રોકી દે છે. 1968માં ઈંડો જાપાનીઝ ટીમે નંદિની પટેલના નેતૃત્વમાં આ શિખર સર કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમને સફળતા મળી નહતી.
પૌરાણિક કથાઃ

સ્થાનિકો કહે છે કે અમુક વર્ષો પહેલા એક ચારણ પોતાના ઘેટા બકરા સાથે મણિમહેશ પર્વત પર ચડી રહ્યો હતો ત્યારે એ શિખર પર પહોંચતા પહેલા જ પોતાના ઘેટા બકરા સાથે પથ્થરનો બની ગયો. આજે પણ તે મણિમહેશ પર્વત પર નાના નાના પથ્થરના સ્વરૂપે મોજૂદ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2G2231F
No comments:
Post a Comment