Latest

Saturday, April 6, 2019

ચૈત્રી નવરાત્રિમાં પહેરો આ કલરના કપડાં, માતાજીની અઢળક કૃપા વરસશે

શક્તિની ઉપાસનાનું મહાપર્વ

શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો પર આખુ વર્ષ પોતાની કૃપા વરસાવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ભક્તિભાવથી આ ઉપાય કરવામાં આવે તો સારુ ફળ મળે છે. જાણો માતા જગદંબાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મા જગદંબાને કરો પ્રસન્ન

ભક્તો નવ દિવસ સુધી અલગ-અલગ કલરના કપડા પહેરીને માતાને પ્રસન્ન કરી શકે છે. જાણો કયા દિવસે માતાજીને કયો કલર પસંદ હોય છે. આ વખતે નવમીમાં રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. આ દરમિયાન માતાજીની પૂજા કરવાથી ધાર્યા કામમાં સફળતા મળે છે. ભક્તો આ નવ દિવસ દરમિયાન માતાના પ્રસન્ન કરવા માટે રંગ પ્રમાણે વસ્ત્રો પહેરે સાથે જ તેવા જ રંગનો પ્રસાદ ચડાવે તો માતાની કૃપા તેમના પર હંમેશા માટે રહે છે.

આવા કલરના કપડાં પહેરો

નવરાત્રિનો પહેલો દિવસ શૈલપુત્રીનો હોય છે, આ દિવસે પીળા રંગના કપડા પહેરો. બીજો દિવસ મા બ્રહ્મચારિણીનો હોય છે, આ દિવસે લીલા કલરના કપડાં પહેરો. ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાનો હોય છે, આ દિવસે ભૂરા કલરના કપડાં પહેરો. ચોથો દિવસે મા કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કેસરી રંગના કપડાં પહેરો.

માતાજીની અઢળ કૃપા વરસશે

પાંચમો દિવસ સ્કંદ માતાનો હોય છે, આ દિવસે તમારે સફેદ કલરના કપડાં પહેરવા જોઈએ. છઠ્ઠો દિવસ મા કત્યાયનીનો હોય છે, આ દિવસે માતાની પૂજા કરતી વખતે લાલ કલરના કપડાં પહેરો. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ માની પૂજા કરવામાં આવે છે, આ દિવસે વાદળી કલરના કપડાં પહેરવા. આઠમા દિવસે મા મહાગૌરીને પ્રસન્ન કરવા માટે ગુલાબી કલરના કપડાં પહેરવા જોઈએ. નવરાત્રિના નવમાં દિવસે સિદ્ધિરાત્રિની પૂજા કરવાનું મહત્વ છે, આ દિવસે પર્પલ કલરના કપડાં પહેરી માતાની પૂજા કરવી જોઈએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2TVR2Uw

No comments:

Post a Comment

Pages