આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ

આજના દિવસે એક સાથે ત્રણ તહેવાર આવ્યા છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજના દિવસથી ચૈત્ર મહિનો શુક્લ પક્ષ શરુ થઈ રહ્યો છે. જેથી ચૈત્રી નવરાત્રનો પ્રારંબ થઈ રહ્યો છે. આ સાથે જ હિંદુ નૂતન વર્ષનો પણ આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજથી વિક્રમ સંવત્ 2075 પૂર્ણ થાય છે અને 2076 શરુ થયું છે. તો સિંધી સમાજમાં શ્રી ઝૂલેલાલ દરિયાલાલ જયંતીની પણ ઉજવણી આજના દિવસે જ થશે. જ્યારે મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગમાં ગુડી પડવાની પણ ઉજવણી કરવામાં આવે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ચાર પૈકી આ નવરાત્રી છે સાધના માટે શ્રેષ્ઠ

ભારતીય શાસ્ત્ર અનુસાર વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જે પૈકી બે ગુપ્ત અને બે જાહેર નવરાત્રી હોય છે. તેમાં સાધના અને સિદ્ધિ માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવ દિવસ નવ દુર્ગા ઉપાસના, સશસ્ત્ર અર્ચન, રોગોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્ર-તંત્રના પ્રયોગ માટે ખૂબ જ મહત્વના અને સિદ્ધ દિવસો ગણાવામાં આવે છે.
શક્તિપીઠ અંબાજીમાં વિશેષ તૈયારીઓ

ત્યારે ગુજરાતમાં આવેલ પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના ધામમાં પણ પવિત્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિને દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન માટે આવતા હોય છે. જેથી કરીને તમામની સુરક્ષા માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત જો તમારે ઘરે સાધના કરવી હોય તો પણ ઘટ સ્થાપનના શુભ ચોઘડિયા અંગે જાણી લેવું જોઈએ.
અંબાજી મંદિર આરતી દર્શનનો સમય
1. પ્રાતઃ આરતી – 7થી 7.30
2. પ્રાતઃ દર્શન 8થી 11.30
3. બપોરે રાજભોગ આરતી- 12 વાગ્યે
4. બપોરે દર્શન- 12.30થી 4.30
5. સાંધ્ય આરતી- 7થી 7.30
6. સાંધ્ય દર્શન – 7.30થી 9
7. આઠમની આરતી સવારે- 6 વાગ્યે
નવરાત્રી ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત

નવરાત્રીમાં ઘટ સ્થાપન અને સાધના શરુ કરવા માટે સવારે શુભ ચોઘડિયું 8.04 – 9.32 શ્રેષ્ઠ મુહૂર્ત છે. ત્યાર બાદ મધ્યાહ્ન સમયે 12.34 – 1.18 ચલ ચોઘડિયા દરમિયાન પણ શુભ યોગ બની રહ્યો છે. ઘરમાં જ ઘટ સ્થાપન માટે પૂર્વ દિશા તરફ બાજોઠ પર સફેદ કે લાલ કલરના કપડાં ઉપર ઘઉં, મગ, અક્ષતની ઢગલી કરી તેના પર શ્રીફળ સાથેનો કળશ મુકવો. તેમાં આસોપાલના કે આંબાના પાન, સવા રૂપિયો મુકવો. આ સાથે જ બાજોઠ પર માતાજીની તસવીરનું પણ સ્થાપન કરવું.
ચૈત્ર મહિનો આરોગ્ય માટે પણ ઉત્તમ
ચૈત્ર મહિના અલૂણા કરવાનું પણ ઘણું મહત્વ છે. કેટલાય સાધકો આ નવરાત્રી દરમિયાન મીઠા વગરનો ફરાળ લઈને સાધના કરે છે. તેમ જ આયુર્વેદ મુજબ ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના મોર કે ફૂલનો રસ પીવાનું આરોગ્ય ઉત્તમ છે.
અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજા

આ સાથે અમદાવાદમાં આવેલ ભદ્રકાળી માતાના મંદિરે પણ નવરાત્રીના 9 દિવસ દરમિયાન વિશેષ શણગાર થશે. તેમજ આજે ગુડીપડવો પણ હોવાથી મંદિરમાં માતાજીના મંડપ પર ધજા સાથે ગુડી પણ લગાડવામાં આવશે. ભદ્રકાળી માતા અમદાવાદના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવે છે. ત્યારે નવરાત્રના પાંચમાં દિવસે 7 સાડીઓને શણગાર કરવામાં આવશે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2UgVbr0
No comments:
Post a Comment