Latest

Monday, April 1, 2019

જેતપુરઃ હોટેલ ‘પધારો’માં લાગી ભીષણ આગ, આઠ ફાયર-ફાઈટર ઘટનાસ્થળે

‘પધારો’ હોટેલમાં લાગી આગ

જેતપુરઃ રાજકોટ-જુનાગઢ હાઈવે પર તત્કાલ હનુમાન ચોકડી નજીક આવેલા ગાર્ડન રેસ્ટોરાંમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયંકર હતી કે ધૂમાડાના ગોટેગોટા આકાશને આંબી રહ્યાં હતાં. હોટેલમાં જેવી આગ લાગી કે તરત જ કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, આ ગાર્ડન હોટેલનું ઘાસથી સુશોભન કરવામાં આવ્યું હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ગ્રાહક અને કર્મચારીઓમાં ભારે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઝપેટમાં આવી વાંસની ઝુંપડીઓ

જેતપુરની તત્કાલ હનુમાન ચોકડી પાસે આવેલી હોટલ ‘પધારો’માં એકાએક આગ લાગી હતી. આ હોટલમાં વાંસની ઝૂંપડીઓ હોવાના કારણે જોતજોતામાં જ આગ ઝડપથી પ્રસરાવા લાગી હતી. આ આગ શોર્ટ-સર્કિટના કારણે અથવા તો ગેસ લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. આગને કાબૂમાં લેવા માટે જેતપુર અને જૂનાગઢથી ફાયર બ્રિગેડ મદદે આવી છે.

ઘટના સ્થળ પર ફાયરબ્રિગેડ

આ હોટલને વાંસના ઝૂંપડા અને અન્ય એક્સેસરીઝથી શણગારી હોવાના કારણે જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. હાલ ફાયરબ્રિગેડના કર્મચારીઓ આ આગને કાબૂમાં લેવા માટે મહેનત કરી રહ્યાં છે.

લાખોના નુકસાનનું અનુમાન

આગ લાગવાનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. હાલમાં કોઈ જાનહાનિની માહિતી પણ નથી પરંતુ આ ભયંકર આગથી લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે રાજકોટથી સોમનાથ જવાના હાઈવે પર આ હોટેલ આવેલી છે. જેના કારણે મોટાભાગે ટૂરિસ્ટ્સની સંખ્યા વધારે રહેતી હોય છે.

લાખોના નુકસાનનું અનુમાન

ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડ



from Page Array – I Am Gujarat https://ift.tt/2V9dXNB

No comments:

Post a Comment

Pages