Latest

Monday, April 1, 2019

ફેક એકાઉન્ટ સામે FBનું પગલું, કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ દૂર કર્યા

600થી વધારે પેજ દૂર કર્યા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે ત્યારે ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કર્યા છે. સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું હતું કે, અપ્રમાણિક વ્યવહાર અંતર્ગત મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષ કોંગ્રેસ સાથે જોડાયેલા આ પેજના દૂર કરવામાં આવ્યા છે. ફેસબુકે સંભવતઃ પહેલી વખત આ પ્રકારનું પગલું ભર્યું છે. જેમાં પોલિટિક્સ સાથે જોડાયેલા પેજને દૂર કરવામાં આવ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શા કરાણે દૂર કરાયા

ફેસબુકે આ પગલાં અંગ સ્પષ્ટ કર્યું હતું કે, આ પેજ પર પ્રકાશિત સામગ્રી અપ્રમાણિક ‘ઈનઓથેન્ટિકેટ બિહેવિયર’ હોવાને કારણે દૂર કરવામાં આવ્યા છે. ભારતમાં દુનિયાના સૌથી વધારે ફેસબુક યુઝર્સ છે જેની સંખ્યા 30 કરોડ છે. ફેસબુકે જણાવ્યું હતું કે, એક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકોએ ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને અલગ અલગ ગ્રુપ સાથે જાડાઈને શેરિંગ કર્યું છે અને સંપર્કો વધાર્યા છે. ફેસબુકે ઉમેર્યું કે, આ પેજ પર લોકલ ન્યૂઝ સિવાય પણ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવતી હતી.

શું કહે છે પોલીસી હેડ?

ફેસબુકની સાયબર સિક્યુરિટીના પોલીસી હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું હતું કે,લોકોએ પોતાની ઓળખ છુપાવીને આ કામને અંજામ આપ્યો છે. પરંતુ, આ વિષય પર અમે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ પેજ કોંગ્રેસના આઈટી સેલ સાથે જોડાયેલા લોકોનું આ ફેક એકાઉન્ટ હતું. આ પેજ પર કોઈ પ્રકારનું કન્ટેન્ટ ન હતું. કોંગ્રેસે આ અંગેના આરોપનો ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તીવારીએ પત્રકારને કહ્યું હતું કે, જે પણ ન્યૂઝ રિપોર્ટ આવ્યા છે તેના પર અમે કોઈ પ્રતિક્રિયા આપવા માગતા નથી.

તપાસ કરાશે

પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, આ પ્રકારના પેજની તપાસ કરવામાં આવશે કે તે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કે કેમ? રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ટિપ્પણી કરવામાં આવશે. તા. 19 એપ્રિલથી19 મે સુધી 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, અને 23 મેના રોજ પરિણામ જાહેર થશે. ફેસબુકે દૂર કરેલા પેજના કેટલાક સેમ્પલ પણ આપ્યા છે. જેમાં વડા પ્રધાનના પ્રયત્નોની ટીકા કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.

પાકિસ્તાનના 103 પેજ દૂર કર્યા

સોશિયલ મીડિયા કંપનીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાના જનસંપર્ક સાથે જોડાયેલા 103 પેજ પણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું સંચાલન પાકિસ્તાનથી થતું હતું. દુનિયાભરની અનેક સંસ્થાઓએ પોતાના રાજકીયલાભ માટે આ પ્રકારના ફેક પેજ બનાવીને ખોટી જાણકારી ફેલાવી છે. આ પ્રકારના એકાઉન્ટને કાયમી ધોરણ દૂર કરવાના હતા.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2CM0YKA

No comments:

Post a Comment

Pages