નવી દિલ્હી: બેંક ઓફ બરોડા (BOB)માં વિજયા બેંક અને દેના બેંકના વિલયની સાથે જ 1 એપ્રિલથી BOB દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ. જાહેર ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) દેશની સૌથી મોટી બેંક છે, જ્યારે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક બીજા સ્થાન પર અને હવે બેંક ઓફ બરોડા ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બેંક ઓફ બરોડાની બેલેન્સ શીટ 15 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે, જ્યારે ડિપોઝિટ 8.75 લાખ કરોડ અને એડવાન્સ (દેવું) 6.25 લાખ કરોડ રૂપિયા છે. કુલ મળીને આ બેંકની પાસે 12 કરોડ ગ્રાહક, 85,000 કર્મચારી, 9,500થી વધુ શાખાઓ અને 13,400 એટીએમ થઈ ગયા છે. આ વિલયની સાથે ભારતમાં સરકારી બેંકોની સંખ્યા ઘટીને 18 રહી ગઈ છે.
સૌથી મોટી વાત એ છે કે, ત્રણે બેંકોના વિલયની ગ્રાહક પર શું અસર પડશે. તેમને તેનો ફાયદો થશે કે નુકસાન એ જાણવું જરૂરી છે. આવો અમે તેને વિસ્તારથી સમજાવીએ છીએ.
દેના બેંકના ગ્રાહકોને તાત્કાલિક ફાયદો
બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના વિલયનો ગ્રાહકોને ફાયદો થશે. સૌથી પહેલા દેના બેંકના ગ્રાહકોની વાત કરીએ તો, તેમને હવે તાત્કાલિક લોન મળવાની શરૂ થઈ જશે. ગત ઘણા મહિનાથી દેના બેંક આરબીઆઈના પ્રોપ્ટ કરેક્ટિવ એક્શનના વર્તુળમાં હતી, જેના કારણે તેના ગ્રાહકોને લોન નહોંતી મળી રહી.
વૈશ્વિક ઉપસ્થિતિનો ફાયદો
હવે દેના બેંક અને વિજયા બેંક બંને બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાની વૈશ્વિક સ્તર પર 101 કાર્યાલયોની ઉપસ્થિતિનો ફાયદો ઉઠાવી શકશે. સૌથી મોટી વાત એ છે કે, કોઈ એક બેંકની કોઈ ખાસ યોજનાનો લાભ હવે અન્ય બંને બેંકોના ગ્રાહકો પણ ઉઠાવી શકશે. ઉદાહરણ તરીકે, બેંક ઓફ બરોડા અને દેના બેંકના ગ્રાહક હવે પ્લાન્ટેશન ફાઈનાન્સિગ અને એસઆરટીઓ ફન્ડિંગ જેવી વિજયા બેંકની એક્સક્લૂઝિવ સ્કીમોનો ફાયદો ઉઠાવી શકશે.
ઉત્પાદોની રેન્જ વધશે
કુલ મળીને ત્રણે બેંકોની પાસે ઉત્પાદોની ઘણી વ્યાપક રેન્જ થઈ ગઈ છે. બેંક ઓફ બરોડાના સીઈઓ પી એસ જયકુમારે કહ્યું કે, ‘ટેકનોલોજીમાં કરાયેલા ભારે રોકાણ તથા એનાલિટિક્સ એન્ડ એઆઈ અને ટેકનોલોજીમાં સેન્ટર ઓફ એક્સેલન્સના કસ્ટમર બેઝને વ્યાપક ફાયદો થવા જઈ રહ્યો છે.’
શેરધારકોને ફાયદામાં
સમજૂતી મુજબ, વિજયા બેંકના શેરધારકોને 1,000 શેરના બદલામાં બેંક ઓફ બરોડાના 402 શરે મળે છે. તો, દેના બેંકના શેરધારકોને 1000 શેરના બદલામાં બેંક ઓફ બરોડાના 110 શેર મળે છે. તજજ્ઞો મુજબ, આ વિલયને કારણે દક્ષતા વધવાથી ગ્રાહક સેવાને મજબૂત બનાવવામાં ફાયદો મળશે. તે ગ્રાહકો અને બેંકો બંને માટે ફાયદાનો સોદો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Vhui2w
No comments:
Post a Comment