ગુજરાતી ફિલ્મ્સમાં અજમાવી રહ્યો છે નસીબ

ગૌરાંગ જોશી, અમદાવાદઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલથી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવનાર ‘ટપુ’ ઉર્ફ ભવ્ય ગાંધી હવે ગુજરાતી ફિલ્મ્સમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. ભવ્ય ગાંધીએ આઈએમગુજરાત.કોમની મુલાકાત લીધી હતી અને પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ તેમજ સ્કૂલ અને કોલેજના મજેદાર કિસ્સાઓ પણ શૅર કર્યાં હતાં. (તમામ તસવીરોઃ ભવ્ય ગાંધી ઈન્સ્ટાગ્રામ)
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાનો અનુભવ

ભવ્ય ગાંધીએ ડેબ્યૂ ફિલ્મ ‘પાપા તમને નહીં સમજાય’માં મનોજ જોષી જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કર્યું હતું. અનુભવી કલાકાર સાથે કામ કરવા અંગે ભવ્યએ જણાવ્યું હતું કે,’જ્યારે અનુભવી કલાકારો સાથે તમે કામ કરો છો ત્યારે ઘણુંબધું જ શીખવા મળે છે. જેમાં સાઈલન્ટ ટીચીંગ અને બોલીને પણ ઘણું શીખવા મળે છે.’
‘તારક મહેતા…’ છોડવા પર કહ્યું આવું

‘તારક મહેતા…’ છોડવા પર અને ઈમેજ મેકઓવર વિશે વાત કરતા ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે,’ઈમેજ મેકઓવરની ચિંતા હતી એટલા માટે જ મેં આવું પગલું લીધું હતું. મારે એક નવી જ ઈમેજ બનાવવી છે અને હજુ પણ નવી ઈમેજ ક્રિએટ કરવી છે. એક કલાકાર જેવું જીવન જીવવું છે અને બધી જ વસ્તુઓનો અનુભવ હોય અને અલગ કેરેક્ટર કરતા શીખવું હતું’ નોંધનીય છે કે ભવ્ય ટેલિવિઝન પર ‘શાદી કે સિયાપે’માં એલિયનનો રોલ કરી રહ્યો છે.
જ્યારે એક છોકરીએ આવીને હગ કર્યું અને…

ભવ્યએ મજેદાર કિસ્સો શૅર કરતા કહ્યું હતું કે,’જ્યારે હું જતો હતો ત્યારે એક છોકરીએ આવીને મને હગ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે મારી ખૂબ જ મોટી ફેન હતી. આ સમયે હું ખૂબ જ અસહજ થઈ ગયો હતો અને મને ખૂબ જ શરમ આવી ગઈ હતી. પણ એ મારી સાચી ફેન હતી કારણકે કંઈ જ વિચાર્યા વગર તેણે મને આટલા બધા લોકો સામે હગ કર્યું હતું. જે મારા માટે મોટી વાત છે.’ આ ઉપરાંત ભવ્યએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેના જીવનમાં કોઈ સવાલ ઊભા થાય છે ત્યારે તે હંમેશાં એક નજીકના મિત્રની સલાહ લેવાનું પસંદ કરે છે.
અપકમિંગ પ્રોજેક્ટમાં બિઝી ભવ્ય

‘તારક મહેતા..’ફેમ ટપુ ઉર્ફ ભવ્ય ગાંધી હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બહુ ના વિચાર’માં બિઝી છે. આ ઉપરાંત તે એક બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહ્યો છે. અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે,’ ફિલ્મ ‘બહુના વિચાર’માં એ જ સંદેશો આપવામાં આવ્યો છે કે જ્યારે દિલ અને દિમાગ વચ્ચે જ્યારે કોઈની પસંદગી કરવામાં આવે ત્યારે દિમાગને બંધ કરો અને દિલને ચાલુ કરો. દિલ કહે એ જ કરો.’
from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2LdoUNq
via IFTTT
No comments:
Post a Comment