Latest

Monday, April 15, 2019

થાઈલેન્ડમાં ન્યૂયર ફેસ્ટિવલ, એકબીજા પર પાણી ઉડાડીને થાય છે ઉજવણી

ન્યૂયર પર વોટર ફાઈટ

ગત શનિવારે થાઈલેન્ડમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પોતાના ન્યૂયરની ઉજવણી કરી હતી. આ ઉજવણીએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ સેલિબ્રેશનની ખાસ વાત એ છે કે, અહીં સૌ કોઈ એકબીજા પર પિચકારી મારીને સેલિબ્રેટ કરે છે. સમગ્ર બેન્કોક સિટીના રસ્તાઓ પાણીથી ભીના થઈ જાય છે. આ દિવસે મોટા ભાગના કામકાજ બંધ રહે છે. પરંતુ, વૃદ્ધો અને દર્દીઓ પર કોઈ પાણી ફેંકવામાં આવતું નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કલરવાળું પાણી ઉડાડે છે લોકો

ત્રણ દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. શનિવારે શરુ થયેલો આ તહેવાર સોમવાર સુધી ઉજવાયો હતો. આ તહેવારને સોંગક્રનથી ઓળખવામાં આવે છે. રંગબેરંગી પિચકારી સાથે બૌદ્ધ ધર્મના ભક્તો તેમજ સ્થાનિકો આ તહેવારમાં ભાગ લે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે. આંખો પર પારદર્શક ચશ્મા હોવા અનિવાર્ય છે. આ સિવાય અહીં હાથી પણ લોકો પર પાણી ઉડાડે છે અને સેલિબ્રેશનમાં ભાગ લે છે.

લાઓસ અને મ્યાનમારમાં પણ ઉજવણી

માત્ર થાઈલેન્ડ જ નહીં પણ પાડોશમાં આવેલા બે પ્રાંત લાઓસ અને મ્યાનમારમાં પણ આ રીતે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. જ્યારે બાળકો પાણીના ફુગ્ગાથી એકબીજા પર ફેંકીને આ તહેવારની ઉજવણી કરે છે. સવારથી શરુ થયેલો આ તહેવાર બપોર સુધી ઉજવવામાં આવે છે. થાઈલેન્ડના પ્રવાસ માટે જવું હોય તો આ તહેવાર ચૂકવા જેવો નથી. અહીં ખાસ પ્રવાસીઓ માટે એક લેન તૈયાર કરવામાં આવે છે ત્યાં તેઓ સમગ્ર સેલિબ્રેશન માણી શકે છે.

ધાર્મિક સરઘસ

આ રીતે સેલિબ્રેશન કરવા પાછળ એવું માનવામાં આવે છે કે, પાણીના છટકાવથી અમી થાય છે અને કુદરત ખુશ થાય છે. આ પિચકારીમાં બરફનું પાણી ભરવામાં આવે છે એટલે જ્યારે પણ તે શરીર પર પડે છે ત્યારે ખૂબ ઠંડું લાગે છે. આ સિવાય પણ આ દિવસોમાં એક ધાર્મિક સરઘસ મુખ્ય રસ્તાઓ પર નીકળે છે. જેમાં બોદ્ધ ધર્મના ભજનો ગાવા-વગાડવામાં આવે છે. ત્યાર બાદ ફીણનો છંટકાવ કરવામાં આવે છે. ત્યાર બાદ લોકો એકબીજા પર પિચકારીથી ફાયર કરે છે.

સફેદ કપડાં થી પહેરાતા

આ ફેસ્ટિવલની ખાસ વાત એ છે કે, આ ઉજવણી દરમિયાન કોઈ પ્રકારના સફેદ કપડાં પહેરવામાં આવતા નથી. પણ આંખો પર પારદર્શક ચશ્મા પહેરવા ફરજિયાત છે. ત્રણ દિવસનો આખો શેડ્યુલ નક્કી હોય છે. ઉજવણી બાદ સૌ ભક્તો તથા પ્રવાસીઓ બૌદ્ધ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. આ દિવસે તમામ સર્વિસ સેક્ટર બંધ હોય છે અને ત્રણ દિવસની રજા હોય છે. થાઈ કેલેન્ડર અનુસાર દર વર્ષે તારીખમાં ફેરફાર થાય છે પણ એપ્રિલ મહિનો નક્કી હોય છે. થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ, ફૂકેટ, પટાયા સુધી આ તહેવારથી ખૂબ ધામધૂમથી ઉજવણી થાય છે.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2Iz2sva

No comments:

Post a Comment

Pages