અક્ષય તૃતીયાનું ખાસ મહત્વ

હિંદૂ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખાસ મહત્વ છે. આ દિવસને લગ્ન માટે વણજોયું મૂહુર્ત તરીકે પણ જોવામાં આવે છે. જો તમે લગ્ન માટે બ્રાહ્મણ પાસે મૂહુર્ત ન જોવડાવ્યું હોય તો અક્ષય તૃતીયાના દિવસે તમે લગ્ન કરી શકો છો. આ દિવસે લગ્ન કરવાથી વૈવાહિક જીવન સુખી રહે છે. આ સાથે જ જો યુવક કે યુવતીના લગ્ન ન થતા હોય તો અક્ષય તૃતીયાના દિવસે વિશેષ ઉપાય કરશો તો તમને થોડા સમયમાં લાઈફ પાર્ટનર મળી જશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
નારિયેળનો ઉપાય

હાથમાં એક નારિયેળ લો. મનમાં તમારા પ્રિય ભગવાનના નામનું સ્મરણ કરો. તમારૂં નામ લો, પોતાના ગોત્રને યાદ કરો અને વડના વૃક્ષની ચારેતરફ સાત વખત પરિક્રમા કરો અને તે નારિયેળને વૃક્ષ નીચે જ મુકી દો. આમ કરવાથી લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો તે દૂર થાય છે.
શિવમંદિરમાં આ વસ્તુનું દાન કરો

ભગવાન શિવના મંદિરમાં માટીમાંથી બનેલા વાસણોનું દાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આમ પણ અક્ષય તૃતીયા પર દાનનું ખાસ મહત્વ હોય છે. આટલું જ નહીં આ દિવસે ગાય, જમીન, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ આટલા પ્રકારના દાનનું ખાસ મહત્વ છે.
મંદિરમાં કરો પૂજા

મંદિરમાં પાર્વતી માતા અને શિવજીની પૂજાની સાથે-સાથે રૂદ્રાભિષેક કરવાથી લાભ થઈ શકે છે. કેટલાક લોકો આ દિવસે વ્રત પણ રાખે છે.
અક્ષય તૃતીયા પર આ રીતે કરો પૂજા

અક્ષય તૃતીયાની રાત્રે એક પીળું કાપડને લઈને નીચે પાથરી દો અને પૂર્વ દિશામાં મોં રાખીને બેસો. માતા પાર્વતીની પ્રતિમાની તેના પર સ્થાપના કરો. ઘઉં પણ તેના પર પાથરો. કેસર અને ચંદનના લેપથી પોતાના માથા પર તિલક કરો. માળાથી આ મંત્રનો જાપ કરો.
યુવકો માટે મંત્રઃ
पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्।
तारणीं दुर्गसंसारसागरस्य कुलोदभवाम्।
યુવતીઓ માટે મંત્રઃ
ॐ गं घ्रौ गं शीघ्र विवाह सिद्धये गौर्यै फट्।
પૂજા કર્યા બાદ આ કામ કરો

અક્ષય તૃતીયાથી ચાર દિવસ સુધી રોજ ત્રણ-ત્રણ વાર ઉપર આપેલા મંત્રોનો જાપ કરો. છેલ્લા દિવસે આ સામગ્રીને માતા પાર્વતીના ચરણોમાં કોઈ મંદિરમાં અર્પિત કરી આવો. તમારા લગ્ન જલ્દી થઈ જશે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IMJ66Z
No comments:
Post a Comment