શનિદેવના ભરોસે આખુ ગામઃ

શું તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો? જો જવાબ હામાં હોય તો તમે મહારાષ્ટ્રના આ ગામના લોકોની ભાવનાને સમજી શકશો. મહારાષ્ટ્રમાં એક એવુ ગામ છે જે ભગવાન ભરોસે ચાલે છે. આ ગામમાં સુખ અને દુઃખના માલિક ભગવાન જ છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં આવેલા શિંગણાપુર ગામને શનિ શિંગણાપુરના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં શનિદેવનું ચમત્કારિક મંદિર આવેલું છે. આ ગામ શિરડીથી વધારે દૂર નથી.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
અલગ છે નજારોઃ

ગામમાં પ્રવેશતા જ તમને જે નજારો જોવા મળશે તેનાથી તમને તમારી આંખ પર ભરોસો નહિ થાય. આ ગામમાં કોઈપણ ઘર કે દુકાનમાં દરવાજા જ નથી. આ ખાસિયતને કારણે ગામ આખા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. અહીં દરવાજો ન લગાવવા પાછળ ગામની મંદિર સાથે જોડાયેલી આસ્થા છે.
લોકોની દૃઢ શ્રદ્ધાઃ

શીંગણાપુર ગામના લોકો માને છે કે આ ગામ પર શનિદેવની એટલી અસર છે કે કોઈ ચોર અહીં ચોરી ન કરી શકે. જો કોઈ દિવસ ચોરી કરી પણ લે તો વસ્તુ ગામ બહાર ન લઈ જઈ શકે. શનિદેવ ચોરને એવી જાળમાં ફસાવી દે છે કે તે ચીજને ગામ બહાર નથી લઈ જઈ શકતો. આ કહાની સત્ય છે. અમુક ચોરોએ કબૂલ્યું છે કે ચોરી પછી તે ગામ બહાર નહતા જઈ શક્યા, રસ્તો ભટકી ગયા હતા. આ ગામના લોકો પોતાની જાતને એટલા સુરક્ષિત મહેસૂસ કરે છે કે તે પોતાના ઘરમાં ન તો દરવાજા લગાવે છે ન તો મોંઘી વસ્તુને તાળા લગાવીને બંધ કરે છે. તેમને શનિદેવ પર વિશ્વાસ છે કે તેમની કોઈ ચીજ ક્યારેય ચોરી નહિ થાય.
આ રીતે પ્રગટ થયા શનિદેવઃ

આ ગામમાં શનિદેવનું આટલું મહાત્મ્ય કેમ છે તેના પાછળ પણ એક કારણ છે. એવું મનાય છે કે એકવાર પૂર આવતા ગામમાં પાણી એટલું ભરાઈ ગયું કે બધા ડૂબવા લાગ્યા. લોકોનું કહેવુ છે કે એ દિવસે કોઈ દૈવી તાકાત પાણીમાં તરી રહી હતી. પાણીનું સ્તર ઓછું થયું ત્યારે એક વ્યક્તિને ઝાડ પર મોટો પથ્થર દેખાયો. આટલો વિચિત્ર પથ્થર લોકોએ ક્યારેય નહતો જોયો. લાલચવશ તેણે પથ્થર નીચે ઉત્રાયો અને તેને તોડવા અણીદાર વસ્તુ મારી તો પથ્થરમાંથી લોહી વહેવા માંડ્યું. તે વ્યક્તિ આ જોઈને ડરીને ભાગી ગયો અને ગામ જઈને તેણે લોકોને આ વાત કહી.
ચમત્કારિક પથ્થરઃ

ગામ લોકોએ આ પથ્થરને જોયો તો તે પણ નવાઈ પામી ગયા. તેમને ખબર ન પડી કે આ પથ્થરનું શું કરવું. તે જ રાત્રે ગામના એક વ્યક્તિના સપનામાં શનિદેવ આવ્યા અને તેમણે કહ્યું, “હું શનિદેવ છું, મને તમારા ગામમાં લઈ જાવ અને સ્થાપના કરો.” એ વ્યક્તિએ ગામવાળાને વાત કરતા તે પથ્થર લેવા આવ્યા. તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ પથ્થરને પોતાની જગ્યાએથી એક ઈંચ પણ હલાવી ન શક્યા. ઘણો સમય કોશિશ કર્યા બાદ તેમણે વિચાર કર્યો કે પથ્થરને કોઈ બીજી રીતે જ ઉંચકવાની કોશિશ કરીશું.
મામા-ભાણિયાના દર્શનનું મહત્વઃ

શનિદેવ એ દિવસે ફરી એક વ્યક્તિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હું ત્યારે જ હલીશ જ્યારે સામસામે મામા-ભાણિયો હશે. ત્યારથી જ એવી માન્યતા છે કે અહીં મામા-ભાણિયા સાથે દર્શન કરવા જાય તો વધુ ફાયદો થાય છે. ત્યાર પછી પથ્થર મોટા મેદાનમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તમે આજે શિંગણાપુરના મંદિરમાં જશો તો પ્રવેશ પછી આગળ જીને તમને મોટું મેદાન દેખાશે. તેની વચ્ચે શનિદેવની સ્થાપના છે.
આવી છે માન્યતાઃ

અહીં શ્રદ્ધાળુઓ કેસરી રંગના વસ્ત્ર પહેરીને જાય છે. મંદિરમાં કોઈ પૂજારી નથી. ભક્ત શનિદેવના દર્શન કરી સીધા બહાર નીકળી જાય છે. અહીં રોજ શનિદેવની સ્થાપિત મૂર્તિ પર સરસવના તેલથી અભિષેક કરવામાં આવે છે. ભક્તો તેલનો ચડાવો પણ આપે છે. એવું મનાય છે કે અહીં ભક્તે સામે જ જોવું જોઈએ. પાછો ફરીને જોય તો ખરાબ ફળ મળે છે. આ મંદિર ખરેખર ચમત્કારિક છે અને જીવનમાં એકવાર તેની મુલાકાત લેવા જેવી ખરી.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IwteEB
No comments:
Post a Comment