Latest

Wednesday, April 17, 2019

મહાવીર જયંતિઃ સુંદરતામાં બેજોડ છે આ જૈન મંદિરો, દરેકે એકવાર જરૂર લેવી જોઈએ મુલાકાત

જૈન ધર્મના અદભૂત શિલ્પ સ્થાપત્યોઃ

વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. દરેક ધર્મના લોકો અહીં પોતાના તહેવાર ધામધૂમથી ઊજે છે. મહાવીર જયંતિ એ જૈનોનો આવો જ એક ધાર્મિક તહેવાર છે. જૈનો આ દિવસે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ દિવસ ઉજવે છે. આ તહેવાર ચૈત્ર મહિનામાં ઉજવાય છે. જૈનોએ દેશને અમુક એવા શિલ્પ સ્થાપત્યો આપ્યા છે જે આખી દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુંદરતામાં આ સ્થાપત્યો બેજોડ છે. અહીંની કોતરણી તમને મંત્રમુગ્ધ કરી દેશે સાથે જ તમને ત્યાં અભૂતપૂર્વ શાંતિનો અહેસાસ થશે. આ પ્રસંગે જાણો ભારતમાં કયા કયા સુપ્રસિદ્ધ જૈન મંદિરો આવેલા છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

દેલવાડા મંદિર, રાજસ્થાનઃ

માઉન્ટ આબુ જનારા યાત્રીઓ આ જૈન મંદિરોની મુલાકાત અવશ્ય લે છે. તે આરસપહાણમાં સુંદર કોતરણી માટે જગવિખ્યાત છે. આ જૈન મંદિરો 12મી સદીમાં બન્યા હતા અને વિવિધ તીર્થંકરોને સમર્પિત છે. અહીં જૈન તીર્થંકરોની 360 જેટલી પ્રતિમાઓ આવેલી છે.

ગોમતેશ્વર મંદિર, કર્ણાટકઃ

ગોમતેશ્વર મંદિર કર્ણાટકના શ્રવણબેલાગોલામાં આવેલું છે. તે ગોમતેશ્વરની 18 મીટર લાંબી કાળી ગ્રેનાઈટથી બનેલી પ્રતિમા માટે પ્રખ્યાત છે. આ પ્રતિમાને કારણે પણ કર્ણાટકની મુલાકાતે આવનારા યાત્રીઓ ગોમતેશ્વરની મુલાકાત લે છે. અહીં દર 12 વર્ષે મહામસ્તકઅભિષેકનું આયોજન કરાય છે. આ સમયે આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. આ સમયે પ્રતિમાનું દૂધથી સ્નાન કરાવાય છે.

રાણકપુર મંદિર, રાજસ્થાનઃ

રાણકપુરના નામ પરથી જ આ મંદિરનું નામ પડ્યું છે. તેનું બાંધકામ અને કોતરણી જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. આ મંદિર 14મી અને 15મી સદીમાં બન્યું હતું. તેમાં અદભૂત કોતરણી ધરાવતા 1444 આરસપહાણના સ્તંભ છે.

પાલિતાણા મંદિર, ગુજરાતઃ

ગુજરાતના ભાવનગરમાં શત્રુંજય પર્વત પર પાલિતાણામાં 3000 જૈન મંદિરોનો સમૂહ છે. આ મંદિરો તેમની કોતરણી માટે આખી દુનિયામાં વખણાય છે. 11મી સદીથી પેઢી દર પેઢી આ મંદિરોનું બાંધકામ થયું હતું. આ મંદિરો સુધી પહોંચવા શ્રદ્ધાળુઓએ 3800 પગથિયા ચડવા પડે છે.

ખજુરાહો, મધ્યપ્રદેશઃ

ખજુરાહોના શિલ્પ અંગે તમારી કંઈક જુદી જ કલ્પના હશે. પરંતુ અહીં પૂર્વ વિસ્તારમાં અનેક જૈન મંદિરો પણ આવેલા છે. મધ્યયુગના ભારતીય શિલ્પ સ્થાપત્ય અને કળાસૂઝનું આ મંદિરો એક ઉત્તમ પ્રતીક છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2XgaQUz

No comments:

Post a Comment

Pages